વિરાટ કોહલીને વન-ડેમાં કેપ્ટન પદેથી હટાવવા અને કેપ્ટન પદે રોહિત શર્માને બેસાડવાના બીસીસીઆઈના નિર્ણય પર સતત ચર્ચા યથાવત છે. ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિતને આ ફોર્મેટનો નવો કેપ્ટન બનાવ્યાં બાદ બીસીસીઆઈએ બુધવારે અચાનક રોહિતને વન-ડે ટીમનું સુકાન સોપ્યું હતુ. આ દરમ્યાન એક નવા અહેવાલ સામે આવી રહ્યાં છે.
કેપ્ટન પદે રોહિત શર્માને બેસાડવાના BCCIના નિર્ણય પર ચર્ચા યથાવત
ટી-20નું સુકાન મળ્યાં બાદ રોહિતે પસંદગીકારો સમક્ષ મૂકી હતી શરત
કોહલીને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવાની વાત થઈ તેની રોહિતને માહિતી નહોતી
રોહિત શર્માએ પસંદગીકારો સમક્ષ મૂકી હતી આ શરત
અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે ટી-20નું સુકાન મળ્યાં બાદ રોહિતે પસંદગીકારો સમક્ષ શરત મૂકી હતી કે જ્યારે તેમને વન-ડે ટીમની કેપ્ટનશિપ મળશે ત્યારે તેઓ કેપ્ટનશિપ સ્વીકારશે. ઉલ્લેખનીય છે કે, કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પહેલાં ટી-20નું સુકાન છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ હવે કોહલીને વન-ડેમાં કેપ્ટન પદેથી હટાવી દીધો. જોકે, તેઓ કેપ્ટનશિપ છોડવા તૈયાર ન હતા.
કોહલીને કેપ્ટન પદેથી હટાવવાની રોહિતને કોઈ જાણ ન હતી
ક્રિકબઝના રિપોર્ટ મુજબ, જ્યારે કોહલીને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવવાની બેઠક થઈ તો તે અંગે રોહિતને કોઈ જાણકારી ન હતી. રોહિત મુંબઈમાં જ કેએલ રાહુલ, અજિંક્ય રહાણે અને રિષભ પંતની સાથે બેટર પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. જોકે, રોહિત શર્માએ પહેલાં જ પસંદગીકારોની સામે વન-ડે માટે કેપ્ટન પદની ઈચ્છા જાહેર કરી દીધી હતી.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45pic.twitter.com/hcg92sPtCa
કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. વન-ડેમાં રોહિતે અત્યાર સુધી 10 મેચમાં કેપ્ટન પદ ભોગવ્યું છે. જેમાંથી ભારતીય ટીમે આઠમાં જીત મેળવી છે અને બે મેચમાં હારનો સામનો કર્યો છે. વન-ડેમાં રોહિતની વિનિંગ જીતની ટકાવારી 80 ટકા રહી છે. જ્યારે રોહિતે ટી-20 આંતરરાષ્ટ્રીય 22 મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટનશિપ કરી છે. જેમાંથી 18માં જીત મેળવી છે અને ચારમાં હાર મળી છે. આ સાથે રોહિત અત્યાર સુધી સૌથી વધુ પાંચ વખત આઈપીએલ ખિતાબ જીતી ચૂક્યા છે અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમણે હંમેશા ટીમને સંભાળી છે.