લોર્ડસ ટેસ્ટમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી માટે એક હતાશાજનક સમાચાર સામે આવ્યાં છે.
કેપ્ટન વિરાટ કોહલી માટે વધુ એક હતાશાજનક સમાચાર
રોહિત શર્માએ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ કરી પ્રાપ્ત
રોહિત શર્માએ ટેસ્ટ રેન્કિંગમાં 773 પોઈન્ટ પ્રાપ્ત કર્યા
કોહલીને ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારે રનનું નુકસાન
લોર્ડસ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પ્રથમ ઈનિંગમાં 42 અને બીજી ઈનિંગમાં ફક્ત 20 રન બનાવી આઉટ થયા હતા. કોહલીને ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારે રનનું નુકસાન થયુ છે, જ્યારે રોહિત શર્માએ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ પ્રાપ્ત કરી છે.
ઈતિહાસ રચી શકે છે હિટમેન
ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા ક્રમે છે, પરંતુ તેઓ 776ના પોઈન્ટ પર સરકી ગયા. જ્યારે રોહિત શર્માએ પોતાની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ 773 પ્રાપ્ત કરી લીધી છે અને આ સાથે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ફક્ત 3 પોઈન્ટનું અંતર બાકી છે.
કોહલી માટે સંકટ બન્યા રોહિત શર્મા?
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આગામી ટેસ્ટ મેચ 25 ઓગષ્ટથી લીડ્સના મેદાન પર રમાશે. જો આ મેચમાં રોહિત શર્મા 50થી વધુનો સ્કોર બનાવે છે અને વિરાટ કોહલી ફ્લોપ થાય છે. તો પછી એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ વખત રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી જેવા દુનિયાના બેસ્ટ બેટ્સમેનને પછાડી શકે છે.
આ સિદ્ધી પ્રાપ્ત કરશે રોહિત શર્મા
જો રોહિત શર્મા આ સિદ્ધી પ્રાપ્ત કરવામાં સફળ થયા તો ટેસ્ટ ક્રિકેટમાં તેમની ટેકનિકને લઈને કહેવામાં આવતી વાતો પર પૂર્ણવિરામ આવી જશે. કારણકે મોટાભાગના ક્રિકેટરોનું માનવુ છે કે રોહિત શર્મા ટેસ્ટ નહીં, ફક્ત વન-ડેમાં ટી-20 શ્રેણીના બેટ્સમેન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ફક્ત 3 પોઈન્ટનું અંતર બાકી છે.