ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ મંગળવારે કહ્યુ કે, મુંબઇ અને આરે કૉલોનીમાં ઝાડની કાપવા ઘણી ખરાબ બાબત છે. મુંબઇને થોડો જ વિસ્તાર હર્યોભર્યો છે અને અહીંયાનું તાપમાન સારું છે, જેનું કારણે આરે કૉલોની છે.
રોહિત શર્માએ ઝાડ બચાવવા માટે કર્યુ ટ્વીટ
સોશ્યલ મીડિયા પર પોતાની વાત કહીને ટ્રોલ થયો 'હિટમેન'
રોહિતે મંગળવારે સોશ્યલ મીડિયા પર ઝાડ કાપવાને લઇને ટ્વીટ કર્યુ કે, ''આ સમાચારથી ભલે કંઇ વધારે ના થાય પણ વૃક્ષોને કાપવા ખૂબ જ ખરાબ છે. મુંબઇમાં આ વિસ્તાર હર્યોભર્યો છે અને અહીંયાનું તાપમાન થોડું હળવું છે તેનું કારણ માત્ર આરે કૉલોની છે. આપણે આને કેવી રીતે છીનવી શકીએ. આ સાથે જ હજારો જાનવરોને પણ ન ભૂલો, જેમની પાસે હવે રહેવા માટે જગ્યા નહી હોય.''
Even if there is more to the story, nothing is worth cutting down something so vital. Part of Mumbai being slightly greener & slight difference in the temperature is mainly because of #AareyColony. How can we take that away, not to mention thousands of animals will displace.
બોમ્બે હાઇકોર્ટને 4 ઓક્ટોબરના મહારાષ્ટ્ર સકરારને ઝાડ કાપવાની પરવાનગી આપી હતી, જે પછી રાજ્ય સરકારે મેટ્રો પ્રોજેક્ટ માટે ઝાડ કાપવાનું શરૂ કર્યુ. સુપ્રીમન કોર્ટ દ્વારા સોમવારે આરે કૉલોવીમાં ઝાડની કાપણી પર રોક લગાવી દેવામાં આવી હતી અને રાજ્ય સરકારને આદેશ આપ્યો કે 21 ઓક્ટોબરના થનારી આ મામલાની આગામી સુનવણી સુધી આ સ્થિતિ યથાવત્ રાખે. જોકે સુપ્રીમ કોર્ટના આ આદેશને રાજ્ય સરાકરે માની લીધુ અને કહ્યુ કે, ''હવે આરેમાં ઝાડ કાપવામાં નહી આવે.''
જોકે રોહિતના ટ્વીટ પર લોકો જે રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પરથી સ્પષ્ટ લાગીર હ્યુ છે કે યૂઝર્સને આ પસંદ નથી આવ્યુ. કેટલાક યૂઝર્સે ટ્વીટ પર જવાબ આપતા કહ્યુ કે, ''તમારે રમત પર ધ્યાન રાખવું જોઇએ અને આવી વિવાદાસ્પદ ટિપ્પણીથી બચવું જોઇએ.'' એક યૂઝરે તેમ પણ કહ્યુ કે, ''રોહિતના ક્રિકેટ બેટ 10-20 ઝાડ કાપીને બનાવવામાં આવે છે તેણે ક્રિકેટ રમવાનું છોડી દેવું જોઇએ.''