વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટમાંથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી દીધી છે. એવામાં ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમને નવો કેપ્ટન મળશે. જોકે, હજી સુધી બીસીસીઆઈએ આ અંગે કોઈ પત્તા ખોલ્યા નથી.
ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમને મળશે નવો કેપ્ટન?
મીડિયા રિપોર્ટસમાં BCCI ના સુત્રો દ્વારા કરાયો ઉલ્લેખ
આગામી ટી-20 સિરીઝમાં ભારતને મળશે નવા કેપ્ટન
ભારતીય ટીમને ટી-20 ફોર્મેટમાં નવા કેપ્ટન મળશે
મીડિયા રિપોર્ટસમાં ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને ટી-20 ફોર્મેટમાં નવા કેપ્ટન મળશે. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં ભારત નવા કેપ્ટનની આગેવાનીમાં રમશે. જણાવવામાં આવે છે કે રોહિત શર્માની વિરાટ કોહલીની જગ્યાએ નવા કેપ્ટન તરીકે પસંદગી કરાશે. એક વેબસાઈટે બીસીસીઆઈના સુત્રો દ્વારા આ ખુલાસો કર્યો છે.
ટી-20 વર્લ્ડ કપ બાદ આ ખેલાડી લેશે વિરાટનું સ્થાન
રિપોર્ટમાં બીસીસીઆઈના સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે, આ કોઈ રહસ્ય નથી કે આગળની ધુરા કોણ સંભાળશે. રોહિત શર્મા લીડરશિપ ગ્રુપનો ભાગ છે અને ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટનું સ્થાન લેશે. આ અંગે સત્તાવાર જાહેરાત વર્લ્ડ કપ બાદ કરવામાં આવશે. વિરાટ કોહલીએ આઈપીએલ 2021ની બીજી સિઝન પહેલાં ટી-20નું કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરી હતી. તેમણે વર્કલોડ મેનેજમેન્ટને જોતા આ નિર્ણય કર્યો હતો. કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ રમશે. તેમના સુકાનપદે ભારતે અત્યાર સુધી ત્રણ આઈસીસી ટુર્નામેન્ટ રમી છે. જેમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સામેલ છે. પરંતુ તેઓ અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફીમાં જીત અપાવી શક્યા નથી.
રોહિતનું ધારદાર પ્રદર્શન
આઈપીએલમાં રોહિત શર્માનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. આ સાથે જેટલી પણ ટી-20 મેચોમાં તેઓ ભારતીય ટીમ માટે કેપ્ટન રહ્યાં છે. તેમાં રોહિતે આક્રમક પ્રદર્શન કર્યુ છે. રોહિતે અત્યાર સુધી 19 ટી-20 મેચોમાં ભારતની આગેવાની કરી છે અને તેમાંથી 15 મેચોમાં જીત મેળવી છે. આ સાથે કેપ્ટન તરીકે રોહિતે 41.88ની સરેરાશથી 712 રન બનાવ્યાં છે. જેમાં બે સદી અને પાંચ અર્ધસદી સામેલ છે.