રોહિત શર્માએ ખુલાસો કર્યો કે તેમણે શા માટે ઓસ્ટ્રેલીયા સામે ટી20 સીરિઝના બીજા મુકાબલામાં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને બેટિંગ માટે બોલાવ્યા.
ઓસ્ટ્રેલીયા સામે બીજી ટી20 મેચમાં ભારતની જીત
રિષભ પાંતની જગ્યાએ બેટિંગ માટે દિનેશ કાર્તિકને બોલાવવામાં આવ્યા
માત્ર બે બોલમાં કાર્તિકે જિતાડી મેચ
ઓસ્ટ્રેલીયા સામે બીજી ટી20 મેચમાં ભારતની જીત
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલીયા સામે ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચમાં 6 વિકેટથી બાજી મારી. જ્યારે ટીમને પહેલી મેચમાં એક મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં કેપ્ટન રોહિતે મોટો નિર્ણય લઈને ટીમની પ્લેઇંગ 11માં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને રિષભ પંત બંનેને સામેલ કર્યા હતા, પણ રિષભ પંતને બેટિંગની તક આપવામાં આવી ન હતી. મેચ બાદ કેપ્ટન રોહિતે આ પાછળનું કારણ પણ જણાવ્યું.
માત્ર બે બોલમાં કાર્તિકે જિતાડી મેચ
નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવામાં આવેલી બીજી ટી20 મેચમાં દિનેશ કાર્તિકને રિષભ પંત પહેલા બેટિંગની તક આપવામાં આવી હતી. દિનેશ કાર્તિકે 2 બોલમાં 10 રન બનાવીને ટીમને જીત પણ અપાવી. ભારતીય ટીમને છેલ્લી 2 ઓવરમાં જીત માટે 23 રનની જરૂર હતી, પણ કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને બોલાવ્યા.
આ કારણે પંતને ન મળી બેટિંગ
રોહિત શર્માએ દિનેશ કાર્તિકને રિષભ પંત પહેલા બેટિંગ માટે બોલાવ્યા હતા, આના પર તેમણે કહ્યું કે અમે વિચારી રહ્યા હતા કે રિષભ પંતને મોકલી શકાય છે, પણ મને લાગ્યું કે ડેનિયલ સેમ્સ છેલ્લી ઓવર ફેંકશે અને તેઓ ઓફ ક્ટર જ બોલિંગ કરે છે, એટલા માટે મેં વિચાર્યું કે દિનેશ કાર્તિકને જ અંદર બોલાવવામાં આવે. તેઓ આમ પણ અમારા માટે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યા છે.
સતત ખરાબ ફોર્મમાં રિષભ પંત
રિષભ પંત ટી20 ફોર્મેટમાં સતત ફ્લોપ રહ્યા છે, આ કારણે પણ તેમની પહેલા દિનેશ કાર્તિકને મોકો મળ્યો હોય. એશિયા કપ 2022માં પણ રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ એક પણ તકનો ફાયદો ન ઉઠાવી શક્યા. પંતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 59 ટી 20 મેચ રમી છે, આ મેચોમાં રિષભ પંતે 23.95 ની સરેરાશે માત્ર 934 રન બનાવ્યા છે. આ સીરિઝમાં પણ રિશભ પંતને પહેલી મેચમાં બહાર બેસવું પડ્યું હતું. તેમના માટે ટી20 વર્લ્ડ કપ 2022માં પણ ટીમનો હિસ્સો બનવું મુશ્કેલ લાગી રહ્યું છે.