BCCIએ વનડે કેપ્ટન રોહિત શર્માનો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ બહાર પાડ્યો છે જેમાં રોહિત તેની કેપ્ટનશીપ લઈને ઘણા ખુલાસા કર્યાં છે.
વનડે કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માનો પહેલો ઈન્ટરવ્યુ
કહ્યું, લોકો ગમે તે કહે મને કંઈ ફર્ક પડતો નથી
મારુ ધ્યાન ફક્ત ક્રિકેટ પર છે
ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી. બીસીસીઆઈએ તાજેતરમાં સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરીને રોહિત શર્માનું નામ વનડે ટીમના કેપ્ટન તરીકે જાહેર કર્યું છે. તેને કારણે સોશિયલ મીડિયા પર ઘણી બબાલ મચી છે. જોકે બીસીસીઆઈ પ્રમુક સૌરભ ગાંગુલી સહિત તમામ ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણય એકદમ યોગ્ય છે.
હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ બીસીસીઆઈને મુલાકાત આપી
હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ બીસીસીઆઈ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે લોકો શું કહે છે તેનો મને કોઈ ફર્ક પડતો નથી. રોહિતે કહ્યું કે જ્યારે તમે ભારત માટે રમો છો તો હમેંશા તમારી ઉપર એક મોટું દબાણ રહેતું હોય છે. તમારી અંગે બહાર પોઝિટીવ અને નેગેટિવ વાતો થતી રહેતીહોય છે પરંતુ એક કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ક્રિેકેટર તરીકે મારુ સમગ્ર ધ્યાન ક્રિકેટ પર હોવું જોઈએ, બીજી કોઈ વાતે નહીં.
🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job."
રોહિતે વધુમાં કહ્યું કે, 'ટીમે પણ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે હાઈપ્રોફાઈલ ટુર્નામેન્ટ રમીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો હોય છે. પરંતુ આપણા હાથમાં શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. મેચો જીતવી અને આપણે જે રીતે જાણીએ છીએ તે રીતે રમવું. બહાર જે વસ્તુઓ બની રહી છે તે આપણા માટે કોઈ ઉપયોગી નથી.
રાહુલ ભાઈ ખેલાડીઓ વચ્ચે મજબૂત સંબંધો બનાવવા મદદ કરશે
રોહિતે કહ્યું કે અમારા માટે આપણે એકબીજા વિશે શું વિચારીએ છીએ તે મહત્વપૂર્ણ છે. અમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે અમારે ખેલાડીઓ વચ્ચે મજબૂત બંધન બનાવવાની જરૂર છે. રાહુલ ભાઈ આ માટે અમને મદદ કરી રહ્યા છે.
રોહિત શર્મા સાઉથ આફ્રિકા ટૂર દ્વારા વન ડે ઈન્ટરનેશનલ તરીકે પૂર્ણકાલીન કેપ્ટન તરીકેનો કાર્યકાળ શરૂ કરવાનો છે. જોકે રોહિત શર્માએ અત્યાર સુધી 10 વન ડેમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. આ દરમિયાન ભારતીય ટીમે 8 મેચ જીતી બે માં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે 2018માં યુએઈમાં યોજાયેલા એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું.