હિટમેનના નામથી લોકપ્રિય ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ ભારતીય ધરતી પર વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાટનાર ખેલાડી બન્યાં છે. આ અંગે તેમણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ રેકોર્ડ બનાવ્યો
ભારતીય ધરતી પર વન-ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકાટનાર ખેલાડી બન્યાં
રોહિતે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાટનાર ખેલાડી બન્યાં
રોહિતે આ સિદ્ધી ન્યુઝીલેન્ડ સામે હૈદ્રાબાદ વન-ડેમાં પ્રાપ્ત કરી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ફરી એક વખત પોતાની બેટીંગથી ધૂમ મચાવી છે. રોહિત શર્મા ભારતીય ધરતી પર વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાટનાર ખેલાડી બન્યાં છે.
રોહિતે તોડ્યો ધોનીનો આ રેકોર્ડ
આ મેચમાં રોહિતે 38 બોલમાં 34 રનની ઈનિંગ રમી. આ ઈનિંગ દરમ્યાન તેમણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ સાથે વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ધરતી પર રોહિત શર્માના કુલ 125 છગ્ગા થયા છે. તેઓ ભારતમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડી બન્યા છે. તેમણે ધોનીનો રેકોર્ડ તોડ્યો. જેણે ભારતમાં 130 વન-ડે મેચમાં 123 છગ્ગા ફટકાર્યા હતા.
આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ અત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ અત્યાર સુધી 398 વન-ડેમાં 351 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રોહિત શર્મા 239 વન-ડે મેચમાં 265 છગ્ગા ફટકારી ચોથા નંબરે સ્થાયી થયા છે. ધોનીએ કુલ 229 છગ્ગા માર્યા છે.