ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માએ તેના ક્રિકેટ કરિયરનું સૌથી મોટું સપનું જાહેર કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર પર રોહિતે તેના ફેન્સ માટે એક સંદેશ આપ્યો છે, જેમાં તેણે તેની ક્રિકેટ કારકીર્દિનું સૌથી મોટું લક્ષ્ય જાહેર કર્યું છે.
હાલ કોરોનાના કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે
તમામ ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે
ત્યારે હિટ મેન રોહિતે તેના આ સપના વિશે જણાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર રોહિતના હવાલાથી ટ્વિટ કર્યું છે કે, તમે દર વખતે મેદાનમાં જાઓ છો અને દરેક વખતે જીતવા માંગો છો, પરંતુ વર્લ્ડ કપ જીતવું સૌથી મોટી ઈચ્છા છે. હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું. તમને જણાવી દઈએ કે, 2019ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી અને ન્યૂઝીલેન્ડ સામે મેચ હાર્યા બાદ ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
એ વર્લ્ડકપમાં રોહિતે તેના બેટથી કમાલ દેખાડ્યો હતો અને 5 સદી ફટકારી હતી પરંતુ કમનસીબે ફાઇનલમાં રોહિત માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજિત થયું હતું.
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતના ત્રણેય ટોચના ઓર્ડર બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. કેએલ રાહુલ, રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયા હત. જોકે ધોની અને જાડેજાએ ભારતીય ઇનિંગ્સને ઘણી હદ સુધી સંભાળી હતી, પરંતુ ભારતીય ટીમનો ખિતાબ જીતવાનું સપનું ધોનીના રનઆઉટ થતાંની સાથે જ તૂટી ગયું હતું.
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા આઈપીએમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે અને તેણે મુંબઈને ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું છે. હાલ કોરોનાને કારણે આઈપીએલ સ્થગિત રાખવામાં આવી છે.
જો આ વર્ષે ઓક્ટોબરમાં ટી -20 વર્લ્ડ કપ યોજવાનો છે, તો ભારતે પણ ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવું પડશે. આ સિવાય 2023માં વન ડે વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. એવામાં જોવાનું રહ્યું કે, હિટ મેન રોહિત શર્મા તેના આ સપનાને પૂરું કરી શકે છે કે નહીં.