ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં યોજનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ છે. સિડની ટેસ્ટ પહેલા ટીમના 5 ખેલાડીઓને રોહિત શર્મા, ઋષભ પંત, શુબમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શોને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને ફટકો
5 ખેલાડીઓને કરાયા આઇસોલેટ
ગઇકાલે પ્રોટોકોલ તોડીને રેસ્ટોરેન્ટમાં કર્યું હતું ભોજન
અહેવાલ છે કે નવા વર્ષની પાર્ટી દરમિયાન આ ખેલાડીઓએ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને બીસીસીઆઈ સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હવે આ મામલાની તપાસ કરશે.
ખેલાડીઓ પર કાર્યવાહી
ઓસ્ટ્રેલિયામાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને ક્રિકેટનું આયોજન ખૂબ જ કડક નિયમો સાથે કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રોટોકોલ તોડનારા આ ખેલાડીઓ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA) દ્વારા ઝડપી શિસ્તબદ્ધ કાર્યવાહી તરીકે જોવામાં આવે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, 'બીસીસીઆઈ અને સીએ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. બંને બોર્ડ નિર્ધારિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આવી રીતે બહાર ફરવું બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. '
આપને જણાવી દઇએ કે, સિડનીમાં યોજનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ મેલબોર્નમાં અભ્યાસ કરી રહી છે. 1 જાન્યુઆરીના રોજ વાઇસ કેપ્ટન રોહિત શર્માની સાથે ઋષભ પંત, શુબમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શો જમવા માટે બહાર નીકળ્યા હતા. આ પાંચેય ખેલાડીઓએ પ્રોટોકોલ તોડીને રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું