ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કોણ કરશે ? કે.એલ.રાહુલ તેનો જોડીદાર બનશે કે શુભમન ગિલને તક મળી શકે છે ? તેના પર છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચા થઈ રહી છે. જેની ઉપર મંગળવારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનું નિવેદન આપ્યું હતું. ઈન્દોર ટેસ્ટના એક દિવસ પહેલા જ રોહિતે આ અંગે વાત કરી હતી. આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે રાહુલને વાઈસ કેપ્ટન પદ પરથી હટાવવાનો કોઈ અર્થ નથી અને મેનેજમેન્ટ સક્ષમ ખેલાડીઓને સપોર્ટ કરતું રહેશે.
દ્વિતીય ટેસ્ટ બાદ ઉપકપ્તાની છીનવી લેવામાં આવી
રાહુલે 47મી ટેસ્ટમાં 33.44ની એવરેજથી 2642 રન બનાવ્યા હતાં, પરંતુ તે છેલ્લા ઘણા સમયથી તેટલા જોશમાં નથી દેખાઈ રહ્યાં. તો તેની સામે શુભમન ગિલ આ સમયમાં ખૂબ જ શાનદાર લાઈમલાઈટમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં રાહુલ 25 રનનો આંકડો પણ પાર કરી શક્યાં નથી. ત્યારે દિલ્હીમાં દ્વિતીય ટેસ્ટ બાદ તેમના પાસેથી ઉપકપ્તાની છીનવી લેવામાં આવી હતી.
સાબિત કરવા માટે આપવામાં આવશે સમય
ત્રીજી ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું કે જે ખેલાડીઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે તેમની ક્ષમતાને જોતા તેમને પોતાને સાબિત કરવા માટે પૂરો સમય આપવામાં આવશે. તેમણે કહ્યું કે ' ઉપકપ્તાન હોવું કે કંઈ બીજું હોવું, તમને કંઈ નથી બનાવતી..' ત્રીજી ટેસ્ટને લઈને ગિલ અને રાહુલની તૈયારીઓ વિશે ભારતીય કેપ્ટને કહ્યું કે જ્યાં સુધી ગિલ અને રાહુલની વાત છે તો તેઓ કોઈ પણ મેચ પહેલા આ રીતે પ્રેક્ટિસ કરે છે. (સાથે પ્રેક્ટિસ કરે છે.)
ટોસના સમયે પ્લેઈંગ ઈલેવનનો ખુલાસો
રોહિત શર્માએ આગળ કહ્યું કે જ્યાં સુધી પ્લેઈંગ ઈલેવનની વાત છે તો હું તેનો ખુલાસો ટોસના સમયે કરવા ઈચ્છીશ...ભારત 4 ટેસ્ટ મેચની સીરીઝમાં 2-0થી આગળ છે. ભારતની નજર ન માત્ર સીરીઝ પર જીત મેળવવા પર હશે પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરવા પર પણ રહેશે.