ICC ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલી સૌથી નાના ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. તો હવે દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં સવાલ ઉભો થઇ રહ્યો છે કે વિરાટની જગ્યા કોણ સંભાળશે.
ટી-20 ફોર્મેટમાં કેપ્ટનના દાવેદાર તરીકે રોહિત શર્માનું નામ આગળ
તો શું ભારતીય ટીમનો આ ખેલાડી રોહિત શર્માનું પત્તુ કાપશે?
આ ખેલાડીએ ચાલુ વર્ષે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપની જવાબદારી સંભાળી
શું રોહિત પાસેથી તક જતી રહેશે ?
જ્યારે વિરાટ કોહલીએ સુકાની પદ છોડવાની જાહેરાત કરી ત્યારે ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટનના દાવેદાર તરીકે સૌથી મોટું નામ રોહિત શર્માનું આવી રહ્યું હતુ. પરંતુ હવે એવુ લાગી રહ્યું છે કે હિટમેનના હાથમાંથી પણ આ તક જતી રહેશે.
IPL 2021 માં ફ્લોપ રહ્યાં રોહિત
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ 2021માં સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા છે. 5 વખત ચેમ્પિયન રહી ચૂકેલી આ ટીમ આ વખતે સેમિ ફાઈનલ સુધી પણ ના ગઇ. હિટમેન રોહિતનું બેટીંગ પ્રદર્શન આ વખતે મૌન રહ્યુ. રોહિતે 13 મેચોમાં 29.30ની સરેરાશથી 127.42ની સ્ટ્રાઈક રેટથી 381 રન બનાવ્યાં. પરંતુ તેમણે સરેરાશ એક અર્ધ સદી ફટકારી. ઘણી વખત તેઓ ઓપનર તરીકે પોતાની ટીમને સારી શરૂઆત અપાવી શક્યા નથી. જેનું ભરણુ એમઆઈએ ચૂકવવુ પડ્યુ.
કોણ બનશે લાંબાગાળાના કેપ્ટન?
રોહિત શર્મા આવતા વર્ષે 35 વર્ષના થશે. એવામાં તેઓ ભારતીય ટીમના લાંબા ગાળાના કેપ્ટન બની શકે. બીસીસીઆઈને એવા ખેલાડીની તપાસ છે, જે લાંબા સમય સુધી કેપ્ટન પદની જવાબદારી સંભાળી શકે. એવામાં રિષભ પંત રોહિત શર્માનું પત્તુ કાપી શકે છે. રિષભ પંતને ચાલુ વર્ષે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે અને તેમણે આ જવાબદારી સારી રીતે વહન કરી પોતાની ટીમને આઈપીએલ 2021ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચાડી દીધી.