ન્યુઝીલેન્ડ સામેની વન ડે સિરીઝની પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. લિમિટેડ ઓવર્સના વાઇસ કેપ્ટન રોહિત શર્મા વન ડે અને ટેસ્ટ બંને શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની T-20ની 5 મી અને અંતિમ મેચમાં બેટિંગ દરમિયાન તેને હેમસ્ટરિંગ ઇજા થઈ હતી, જેના કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ પછી તે 60 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો.
રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં
પિંડીની ઈજા થવાને કારણે બંને શ્રેણીમાંથી બહાર
કેએલ રાહુલે રોહિતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતનો વિજય થયો હતો.
ન્યુઝીલેન્ડ સામેની વન ડે સિરીઝની પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. લિમિટેડ ઓવર્સના વાઇસ કેપ્ટન રોહિત શર્મા વન ડે અને ટેસ્ટ બંને શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની T-20ની 5 મી અને અંતિમ મેચમાં બેટિંગ દરમિયાન તેને હેમસ્ટરિંગ ઇજા થઈ હતી, જેના કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ પછી તે 60 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો.
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "તે આગામી રમતથી બહાર થઇ ગયો છે."
આપને જણાવી દઈએ કે રવિવારે ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતી વખતે પિંડીમાં ઈજા થવાને કારણે ભારતનો કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડિંગ માટે આવ્યો ન હતો.
મેચ બાદ તેના સાથી ખેલાડી લોકેશ રાહુલે કહ્યું હતું કે તે થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે. રોહિતની ગેરહાજરીમાં રાહુલે ટીમનું નેતૃત્વ કર્યું હતું. શ્રેણીની અંતિમ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો.
ત્રીજા નંબરે બેટિંગ કરનાર રોહિત જ્યારે સિક્સર ફટકારતો હતો ત્યારે ડાબી પિંડીની ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. તેણે 41 બોલની ઇનિંગ્સમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ બુધવારે રમાશે.