ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રોહિત શર્માને આ વર્ષે ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે રચાયેલી પસંદગી સમિતિએ હિટમેન રોહિત શર્માના નામ પર મહોર લગાવી દીધી છે. ખેલ રત્ન એ કોઈપણ ભારતીય નાગરિકને આપવામાં આવેલો સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ છે.
ક્રિકેટ જગતથી આવ્યા મોટા સમાચાર
હિટમેન રોહિત શર્માને મળશે ખેલ રત્ન એવોર્ડ
રોહિત આ એવોર્ડ મેળવનાર ચોથો ખેલાડી બનશે
રોહિત ભારતનો ચોથો ક્રિકેટર હશે જેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે. રોહિત શર્મા પહેલાં સચિન તેંડુલકર (1997-98), એમએસ ધોની (2007) અને વિરાટ કોહલી (2018)ને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
રોહિત શર્માની સાથે મહિલા રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને 2016 પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ મરિયપ્પન થાંગાવેલુને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ ભલામણ બાદ કેન્દ્રીય રમત મંત્રાલયની મંજૂરી હજી બાકી છે, જે પછી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પસંદ કરેલા ખેલાડીને એવોર્ડ એનાયત કરશે.
વર્ષ 2019 રોહિત શર્માને સારી સફળતા મળી હતી, ખાસ કરીને વન ડે ક્રિકેટમાં તેણે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું. ગયા વર્ષે, તેણે વર્લ્ડ કપ 2019માં વન ડેમાં કુલ 1,490 રન બનાવ્યા હતા, જેમાં વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માએ તેની શાનદાર બેટિંગથી દરેકનું દિલ જીત્યું હતું, આ મેગા ટૂર્નામેન્ટમાં તેણે 5 સદી ફટકારી હતી, જે એક રેકોર્ડ પણ છે.