ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટીના પૂર્વ અધ્યક્ષ સંદીપ પાટિલનું માનવું છે કે ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા વનડેમાં કેપ્ટન વિરાટ કોહલી કરતા વધુ સારો બેટ્સમેન છે. સંદીપ પાટિલે એક ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી.
આ દરમિયાન સંદીપ પાટિલે કહ્યુ કે ''વિરાટ કોહલીના ફેન્સને મારી વાત પંસંદ ન આવે પરંતુ રોહિત શર્મા આ સમયમાં કોહલીથી સારો બેટ્સમેન છે. વિરાટ નિશ્ચિત રીતે મહાન બેટ્સમેન છે તેમાં કોઈ શક નથી. તે ભારતીય ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે પણ વનડેમાં રોહિત તેની આગળ છે.''જણાવી દઈએ કે આ વર્ષે બન્ને બેટ્સમેન વનડેમાં 1000થી વધુ સ્કોર કર્યો છે જેમાં 6-6 સેન્ચ્યુરી લગાવી છે.
રોહિત તાજેતરમાં જ શ્રીલંકા વિરુદ્ઘની વન ડે ક્રિકેટમાં ત્રીજી ડબલ સેન્ચુરી કરી હતી. રોહિતે આ સીરિઝમાં કોહલીની ગેરહાજરીમાં ટીમમાં કેપ્ટન્સી કરી હતી. ભારતમાં શ્રીલંકાને 2-1થી જીત મેળવી હતી. રોહિતે શ્રીલંકાની વિરુદ્ઘ T-20 સીરિઝમાં પણ ટીમની કેપ્ટન્સી અને ટીમને 3-0થી જીત મેળવી હતી. રોહિતે બીજી T-20 માં માત્ર 35 બૉલમાં સેન્ચુરી કરી હતી.