લોર્ડ્સમાં ઐતિહાસિક વિજય બાદ આસમાને આંબતા ભારતીય ટીમના આત્મવિશ્વાસને જોરદાર ફટકો લાગ્યો છે. ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ માત્ર 78 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ ઈંગ્લેન્ડ સામે ટીમ લોર્ડ્સમાં ઐતિહાસિક વિજય હાંસલ કરીને લીડ્સમાં ત્રીજી ટેસ્ટ રમવા ઉતરી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં શાનદાર વિજયને પગલે આભને આંબતો ભારતીય ટીમનો આત્મવિશ્વાસ પહેલા જ દિવસે ધૂળમાં મળી ગયો હતો. ભારતીય ટીમ માત્ર 78 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અગિયારમાંથી માત્ર બે જ બેટ્સમેનો ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા.
રોહિતની શું ભૂલ?
ખરેખર આ પહેલી વખત એવું બન્યું હતું કે જ્યારે ભારતીય ટીમનો કોઈ પણ બેટ્સમેન ટેસ્ટમેચની પ્રથમ ઇનિંગમાં 20 રનનો આંકડો પાર ન કરી શક્યો હોય. રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન હતો જે સેટ થઈ ગયો હોય તેવું લાગતું હતું. જો રોહિતે માત્ર એક રન વધારે કરી દીધો હોત તો ભારતના નામે આ શરમજનક રેકોર્ડ ન નોંધાયો હોત. રોહિતે 19 રનના અંગત સ્કોર પર એક બાઉન્સર રમવા જતાં બોલર્સ એન્ડ તરફ કેચ ઉછાળી દેતાં વિકેટ ગુમાવી હતી.
ટોસ જીતીને બેટિંગ લેવી ભૂલ
કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં રોહિત શર્માએ સૌથી વધારે 19 રન કર્યાં હતા પરંતુ તેના આઉટ થયા બાદ આવેલા ખેલાડીઓએ ખાસ કંઈ ન ઉકાળ્યું અને ધડાધડ આઉટ થવા લાગ્યાં. આઉટ થનારમાં સિરાજ છેલ્લો રહ્યો.
ઇંગ્લેન્ડ સામે હેડિંગ્લે, લીડ્સ ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ સુપર ફ્લોપ રહ્યા હતા. જેએલ એન્ડરસન, જેમણે કેએલ રાહુલ (0) ને આઉટ કર્યા બાદ શરૂઆત કરી હતી, ત્યારબાદ કોઈ પણ ભારતીય બેટ્સમેન મેદાન પર લાંબા સમય સુધી રહી શક્યો ન હતો. માત્ર રોહિત શર્મા (19) અને અજિંક્ય રહાણે (18) ડબલ ફિગર પાર કરી શક્યા. વિકેટ પડવાના પરિણામે ભારતીય પ્રથમ દાવ માત્ર 78 રનમાં સમેટાઇ ગયો હતો.
વિરાટનો દાવ ઊંધો પડ્યો
વાદળછાયું આકાશ હોવા છતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. એન્ડરસને પોતાના નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નથી. તેણે રાહુલ (00) ને મોકલ્યો, જેમણે લોર્ડ્સમાં છેલ્લી મેચમાં સદી ફટકારી હતી, પ્રથમ ઓવરમાં જ. બોલને ઓફ-સાઇડ બહાર ચલાવવાનો પ્રયાસ કરી રહેલો રાહુલ બટલરનો કેચ આપે છે. પુજારા પણ પાંચમી ઓવરમાં એન્ડરસનનાં બોલ પર વિકેટકીપરને કેચ આપી બેઠો હતો.