વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ T20 મેચમાં જ્યારે ડીઆરએસને લઈને કન્ફયુઝન પેદા થયું, ત્યારે કપ્તાન રોહિત શર્મા એમ્પાયરના એક નિર્ણય પર હેરાન રહી ગયા. જાણો શું હતું તેમનું રિએક્શન
વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ T20 મેચમાં જ્યારે ડીઆરએસને લઈને કન્ફયુઝન પેદા થયું, ત્યારે ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા એમ્પાયરના એક નિર્ણય પર હેરાન રહી ગયા.
કોલકાતામાં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ રમાયેલ પહેલી T20 મેચમાં જીત હાસિલ કરી ટીમ ઇન્ડિયાએ સીરીઝમાં 1-0ની બઢત બનાવી લીધી છે. માત્ર 158 રનનો પીછો કરવા ઉતરેલ ટીમ ઇન્ડિયા એ 6 વિકેટથી આ મુકાબલો જીત્યો. ટીમ ઇન્ડિયા જ્યારે ફિલ્ડીંગ કરી રહી હતી, એ સમયે રીવ્યૂને લઈને કન્ફ્યૂઝ ન થયું હતું.
આ જ દરમિયાન કપ્તાન રોહિત શર્મા એમ્પાયરના એક નિર્ણય પર હેરાન રહી ગયા, રોહિતનું આ જ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. રોહિત શર્મા પોતાના જ અંદાજમાં બોલીન પડ્યા 'યે વાઈડ કિધર દે રહા હૈ યાર.'
અસલમાં, રવિ બિશ્નોઈના બોલ પર ચેજ પાસેથી બોલ નીકળ્યો, ત્યારે ટીમ ઇન્ડિયા રીવ્યૂ લેવા માટે તૈયાર હતી. રોહિત શર્મા જેવા રીવ્યૂ લેવા જવા લાગ્યા, ત્યારે જ એમ્પાયરે તેને વાઈડ કરાર આપી દીધો હતો, આવામાં રોહિત શર્માના મોંમાંથી આ શબ્દો નીકળ્યા.
Everyone sure that the ball touched either the pad or bat..Umpire calls it a wide:
Rohit Sharma: "Arre ye wide kidhar se de raha yaar" 🤣#INDvWI
જોકે, પછી એમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો કેમકે રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ બેટ્સમેનના પેડને ટચ થયો હતો. ટીમ ઇન્ડિયાને રીવ્યૂ બાદ પણ વિકેટ તો ન મળી, પરંતુ એમ્પાયરે વાઈડ બોલ પણ પાછો લેવો પડ્યો હતો.
રોહિત શર્માએ જ્યારે ડીઆરએસ લીધું તો ઘણી કન્ફયુઝનની સ્થિતિ પેદા થઇ ગઈ હતી, આવામાં તેમણે એમ્પાયરને પૂછવું પડ્યું હતુ કે શું તેમનો રીવ્યૂ કાઉન્ટ થશે. જોકે ટીમ ઇન્ડિયાના આ રીવ્યૂને માનવામાં આવ્યો હતો, કેમકે એમ્પાયર તો પહેલા જ વાઈડ આપી ચુક્યા હતા.
જો મેચની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી, વેસ્ટઇન્ડીઝ ટીમ માત્ર 157 રન જ બનાવી શકી. જવાબમાં ભારતે શાનદાર શરૂઆત મળી, ખુદ રોહિત શર્માએ 40 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાએ અંતમાં 6 વિકેટથી આ મુકાબલો જીત્યો.
ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 40,ઇશાન કિશને 35, વિરાટ કોહલી 17, રિષભ પંત 8,સુર્ય્કુમાર યાદવ અને વેંકટેશ ઐયરે ભારતની ટીમને મેચ સમાપ્તિની એક ઓવર બાકી રાખતા જીતાડી દીધું હતું