ટીમ ઇન્ડિયાના ઑપનર રોહિત શર્માએ રવિવારે પોતાના ચિર-પ્રતિદ્ઘંદ્ઘી પાકિસ્તાન વિરુદ્ઘ શાનદાર ઇનિંગ રમી અને ટીમની જીત માટે મહત્વનો ફાળો આપ્યો.
મૈન્ચેસ્ટરના ઑલર્ડ ટ્રેફર્ડમાં રમાયેલી મેચમાં રોહિત શર્માએ 113 બૉલમાં 16 બાઉન્ડ્રી અને 3 સિક્સર્સ ફટકારીને 140 રન કર્યા, જેની મદદથી ટીમ ઇન્ડિયા 5 વિકેટ નુકસાન પર 336 જેટલો સ્કોર કરી શકી, જ્યારે ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી પાકિસ્તાની ટીમ વરસાદને 40 ઑવરમાં 6 વિકેટ ગુમાવીને 212 રન જ કરી શકી.
મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં મેન ઑફ ધ મેચ રહેલા હિટમેનને પાકિસ્તાની પત્રકારે જ્યારે પૂછ્યુ કે, પાકિસ્તાનના બેટ્સમેન શું સલાહ આપશો જેના લીધે તેઓ પોતાનું ફોર્મ સુધારી શકે. રોહિતે હસતા જવાબ આપ્યો કે, તે સલાહ ત્યારે આપશે જ્યારે તે પાકિસ્તાની ટીમનો કોચ બનશે. રોહિતે કહ્યુ કે, ''જો હુ પાકિસ્તાની ટીમનો કોચ બન્યો તો જણાવીશ, અત્યારે તો શુ કહું.'' આ સમયે કોન્ફરન્સ રૂમમાં હાજર રહેલા તમામ લોકો હસવા લાગે છે.
રોહિતે વર્લ્ડકપમાં અત્યાર સુધી સૌથી સારુ ફોર્મ કર્યુ છે. સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વિરુદ્ઘ સેન્ચુરી કરી તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ હાફ સેન્ચુરી કરી. જ્યારે રોહિતને પૂછવામાં આવ્યુ કે, તેની સફળતાનો શ્રેય તે કોણે આપવા માંગે છે તો રોહિતે જવાબ આપ્યો કે મારી દિકરીને શ્રેય આપીશ. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટને કહ્યુ કે, ''હું અત્યારે સારી સેપ્સમાં છું. મારી જિંદગીમાં મારી દિકરી આવી, જેનાથી હું ખુશ છું. હું IPLથી પોતાના ક્રિકેટનો આનંદ લઇ રહ્યો છું. અહીંયા અમે સારી શરૂઆત કરવા પર ધ્યાન કર્યુ અને મને લાગે છે કે, એક ટીમના રૂપથી અમે સાચ્ચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.''
રોહિત શર્માએ આ વાતનો માનવો ઇન્કાર કરી દીધો કે, પાકિસ્તાન વિરુદ્ઘ તેની સેન્ચુરી કરિયરની સૌથી શ્રેષ્ઠમાંથી એક છે. તેણે કહ્યુ કે, જ્યારે તમે દેશ માટે રમો છો ત્યારે ટીમ માટે તમામ પ્રકારની બેટિંગ મહત્વપૂર્ણ રહે છે. મને વિશ્વાસ છે કે જ્યારે હું સેન્ચુરી કરીશ ત્યારે તમે ફરી વખત મને ચોક્કસથી આ સવાલ કરશો.'' ટીમ ઇન્ડિયા તેની આગામી મેચ 22 જૂન (શનિવાર)ના રોજ અફધાનિસ્તાન સામે રમશે.