રોહિતને ઇડન ગાર્ડન્સ પર રવિવારની રાત્રિએ રમાનારી મેચમાં જ્યારે તેને આઉટ આપવામાં આવ્યો ત્યારે રોહિત શર્માએ ગુસ્સામાં બેટને સ્ટમ્પ પર ફટકાર્યું. જેની તેને સજા ભોગવવાનો વારો આવ્યો.
કોલકાતાઃ મુંબઇ ઇન્ડીયન્સનાં કેપ્ટન રોહિત શર્મા પર રવિવારનાં રોજ કોલકાતા નાઇટરાઇડર્સ વિરૂદ્ધ આઇપીએલ મેચ દરમ્યાન આઉટ થયાં બાદ નિરાશા સાથે સ્ટમ્પ્સ પર બેટ મારવા બદલ ફીનાં 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રોહિતને ઇડન ગાર્ડન્સ પર રવિવારની રાત્રીએ રમાનાર મેચમાં જ્યારે રોહિતને આઉટ આપવામાં આવ્યો ત્યારે તેઓએ ગુસ્સામાં સ્ટમ્પ્સ પર બેટ ફટકારી દીધું.
આ જ રીતે તેઓએ ઇન્ડીયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ. મુંબઇ ઇન્ડીયન્સે આ મેચ 34 રનથી હારી ગયા હતાં. કેકેઆરે આ જીતથી સતત છ મેચ હારવાનો ક્રમ તોડ્યો હતો. રોહિતે આઇપીએલ આચારસંહિતાનાં માત્ર એક દોષ 2.2નો સ્વીકાર કર્યો છે. આઇપીએલનાં અનુસાર, 'શર્માએ આઈપીએલ આચારસંહિતાનાં માત્ર એક દોષ 2.2નો સ્વીકાર કર્યો છે અને તેઓને દંડ પણ મંજૂર છે.'
આંદ્રે રસેલ (80* અને બે વિકેટ)નાં ઓલરાઉન્ડ પ્રદર્શન અને શુભમન ગિલ (76) અને ક્રિસ લિન (54)ની ઉત્તમ ઇનિંગોને લીધે કોલકાતા નાઇટરાઇડર્સે રવિવારનાં રોજ આઇપીએલ-12ની 47ની મેચમાં મુંબઇ ઇન્ડીયન્સને 34 રનથી હાર આપી હતી. આ સાથે જ કેકેઆરે સતત છઠ્ઠી હારનાં સિલસિલાને તોડ્યો અને પ્લે ઑફમાં પોતાની પહોંચવાની આશાઓને જીવતી રાખી છે. મુંબઇ ઇન્ડીયન્સનાં હાર્દિક પંડ્યા (34 બોલ, 9 છક્કા અને 6 ચોક્કા)ની મનોરંજક ઇનિંગ પર પાણી ફરી ગયું.