ટી-20 વર્લ્ડ કપ 2022માં સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ હારી ગઇ છે. ઈંગ્લેન્ડે 10 વિકેટથી મેચ જીતીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યાં તેની ટક્કર પાકિસ્તાન સાથે થશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મેચ બાદ ભાવુક દેખાયા.
સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની હાર
ઈંગ્લેન્ડે 10 વિકેટથી મેચ જીતીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું
કેપ્ટન રોહિત શર્મા મેચ બાદ ભાવુક દેખાયા
સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું
ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની સફર પૂર્ણ થઇ છે. સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ તરફથી 10 વિકેટથી મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા લાગણીશીલ થયા. રોહિત શર્માને ડગ આઉટમાં ભાવુક થતા જોઇ શકાય છે, જ્યાં તેઓ પોતાના આંસુ લુછી રહ્યાં હતા. મેચ પૂરી થયા બાદ જ્યારે ભારતીય ટીમના ખેલાડી ઈંગ્લેન્ડ ટીમ સાથે હાથ મિલાવીને પોતાના ડગઆઉટમાં ગયા ત્યારે રોહિત શર્મા ભાવુક થયા.
અને રોહિત શર્મા થયા ભાવુક
થોડા સમય સુધી રોહિત શર્માને રાહુલ દ્રવિડ સાથે વાતચીત કરતા જોઇ શકાય છે. બંનેએ થોડા સમય સુધી વાતચીત કરી અને ત્યારબાદ રોહિત શર્મા ભાવુક થયા. જ્યાં કોચ રાહુલ દ્રવિડે તેમને સંભાળ્યાં.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ પણ મેદાનમાં નિરાશ જોવા મળ્યાં. 10 વિકેટથી કારમી હાર મળ્યાં બાદ વિરાટ કોહલી મેદાનમાં નિરાશ દેખાયા. તેમણે પોતાનુ મોંઢૂ ટોપીથી છુપાયેલુ હતુ. ઝુકેલા ખભા જણાવી રહ્યાં હતા કે કિંગ કોહલી કઈ રીતે આ હારથી ખૂબ જ નિરાશ છે.