ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં રડતાં જોવા મળ્યા હતા અને એ બાદ હિટ મેન ડ્રેસિંગ રૂમમાં પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા
ડ્રેસિંગ રૂમમાં પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા રોહિત શર્મા
રોહિત શર્મા પાસેથી લોકોને અપેક્ષા હતી પણ..
હિટમેન બેટથી પણ ફ્લોપ રહ્યો
વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની સફર પૂર્ણ થઇ ગઈ છે. ગુરુવારે એડિલેડમાં રમાયેલી ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 10 વિકેટે હરાવી હતી. કારમી હાર બાદ ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ રડતાં હતા અને ટીમના કોચ રાહુલ દ્રવિડ એમને સાંત્વના આપી રહ્યા હતા. આ બાદ હજુ એક સમાચાર સામે આવી રહ્યા છે કે એ પછી પણ હિટ મેન રોહિત શર્મા ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા.
ડ્રેસિંગ રૂમમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા રોહિત શર્મા
એ વાયરલ વિડીયો આપણે બધા એ જોયો હતો જેમાં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં રડતાં જોવા મળ્યા હતા અને હવે એવું પણ જાણવા મળ્યું છે કે રોહિત શર્મા હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા અને એ સમયે તેમના સાથી ખેલાડીઓએ કોઈક રીતે રોહિતને સાંભળ્યા હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ટીમને કહી રહ્યા હતા કે ટીમે સારું ક્રિકેટ રમ્યું છે અને દરેકને પોતાની મહેનત પર ગર્વ હોવો જોઈએ અને એ સમયે રોહિત શરૂઆતમાં કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નહોતો અને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. એ બાદ ખુદ ણે સંભાળીને રોહિતે ટીમના દરેક સભ્યોનો આભાર માન્યો હતો અને રોહિતનું પણ માનવું છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં ટીમે ઘણું સારું પ્રદશન કર્યું હતું. જનવાઈ દઈએ કે ટીમના કેટલાક સભ્યોએ આ વાત કરતાં એમ પણ કહ્યું હતું કે તેઓએ રોહિતને આટલો ભાવુક થતો ક્યારેય જોયો નથી.
રોહિત શર્મા પાસેથી લોકોને હતી અપેક્ષા પણ..
દરેક લોકો જઅને જ છે કે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતે એકપણ ICC ટ્રોફી જીતી નથી અને આવી સ્થિતિમાં બધાને આશા હતી કે રોહિત શર્મા આ વખતે વર્લ્ડકપ ભારતમાં લઈને આવશે પણ એવું બની ન શક્યું. અત્યાર સુધી રોહિત શર્માએ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે પાંચ વખત ટાઇટલ જીત્યું છે એટલે લોકોએ ને રોહિત શર્મા પાસે થોડી વધુ આશા હતી પણ રોહિત ICC નોકઆઉટ ગેમ્સમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક રેકોર્ડમાં કોઈ પણ જાતનો સુધારો કરી શક્યો નહીં. આ સાથે જ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું વ્યક્તિગત પ્રદર્શન પણ ઘણું ખરાબ રહ્યું હતું.
હિટમેન બેટથી પણ ફ્લોપ રહ્યો
પાકિસ્તાન સામેની પહેલી વર્લ્ડ કપ મેચમાં રોહિત શર્મા માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો જો કે એ પછી નેધરલેન્ડ સામે 53 રનની ઇનિંગ રમી હતી પણ એ પછીની દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામેની મેચમાં રોહિત વધુ રન બનાવી શક્યો નહતો. છેલ્લી ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં પણ રોહિત ફ્લોપ સાબિત થયો હતો. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2022માં છ મેચમાં 19.33ની એવરેજથી 116 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 106.42 રહ્યો હતો.