રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે અને હવે રોહિત જ ત્રણેય ફોરમેટમાં કેપ્ટન બની ગયો છે. પૂજારા અને રહાણેની હકાલપટ્ટી થઈ છે અને બુમરાહને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી માટે ટીમ જાહેર
રોહિત શર્મા બનશે કેપ્ટન
જસપ્રીત બૂમરાહ વાઇસ કેપ્ટન
ટીમ ઇન્ડિયાનું એલાન
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર ટી-૨૦ અને ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે અને હવે રોહિત શર્મા જ ત્રણેય ફોરમેટમાં કેપ્ટન બની ગયો છે. ઉલ્લેખનીય છે કે કોહલીએ કેપ્ટન્સી છોડ્યા બાદ રોહિત એક વિવાદ થયો હતો જેમાં હવે અટકળો પર પૂર્ણ વિરામ મૂકાતા રોહિત શર્મા નવો કેપ્ટન બની ગયો છે.
Rohit Sharma appointed Test captain for the upcoming Sri Lanka series; Ajinkya Rahane and Cheteshwar Pujara dropped from the Test series against Sri Lanka
રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે અને હવે રોહિત શર્મા જ ત્રણેય ફોરમેટમાં કેપ્ટન બની ગયો છે. સામે બૂમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે માટે ટી-૨૦ અને ટેસ્ટ શ્રેણી માટે બુમરાહ હવે વાઇસ કેપ્ટન રહેશે.
Jasprit Bumrah appointed as T20 & Test vice-captain for the upcoming Sri Lanka series
રહાણે અને પુજારા ટેસ્ટ ટીમની બહાર
અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ચેતન શર્માએ ટીમની જાહેરાત સમયે કહ્યું હતું કે બંને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ બહાર થઈ ગયા છે. તેઓ રણજી ટ્રોફી રમી રહ્યા છે. રણજીમાં ભારતના બે મોટા ખેલાડીઓ રમી રહ્યા છે તે સારી વાત છે.
IND vs SL Team India Squad: રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર આધાર રાખીને), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર
વિન્ડિઝ સામે ત્રીજી ટી-૨૦ મા પણ નહીં રમે વિરાટ
વિરાટ કોહલી અને રિષભ પંતને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા રવિવારે રમાવા જનાર ત્રીજી ટી-20 મેચ અગાઉ બાયો બબલથી આરામ આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિરાટ કોહલી હવે પોતાના ઘરે જવા માટે રવાના થયો હોવાના સમાચાર પણ આવી રહ્યા છે. આ ઉપરાંત હવે શ્રીલંકા સામેની ટી-૨૦ શ્રેણીમાં પણ તેને આરામ અપવામાં આવ્યો છે.
બીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે રોમાંચક વિજય મેળવ્યો હતો. જેમાં વિરાટે પોતાના જૂનાં અને જાણીતા ફોર્મમાં પરત ફરતા કેટલાક દર્શનીય શોટ્સ ફટકાર્યા હતા. અને શાનદાર ફિફ્ટી ફટકારી હતી.
ભારત અને શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ
શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ T20 મેચ 24 ફેબ્રુઆરીએ લખનૌમાં રમાશે. આ પછી 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં બે T20 મેચ રમાશે. ટેસ્ટ શ્રેણી મોહાલીમાં શરૂ થશે. પ્રથમ મેચ 4 માર્ચથી 8 માર્ચ સુધી રમાશે. આ પછી બીજી અને અંતિમ ટેસ્ટ બેંગલુરુમાં 12 થી 16 માર્ચ દરમિયાન રમાશે.
પંત-કોહલીને ટી-૨૦ માં આરામ
વિરાટ કોહલી અને રિષભ પંતને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા રવિવારે રમાવા જનાર ત્રીજી ટી-20 મેચ અગાઉ આરામ આપવાની જાહેરાત બાદ હવે શ્રીલંકા સામે ટી-૨૦ શ્રેણીમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે.