એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામે સતત બે મેચ હારી ગઈ છે તો બીજી તરફ ટીમના સિનિયર ખેલાડીઓ આરામ કરી રહ્યા છે.
સાઉથ આફ્રિકા સામે સતત બે મેચ હારી ટીમ ઈન્ડિયા
સિનિયર ખેલાડીઓ દરિયાકીનારે કરી રહ્યા ચીલ
ફેન્સ થયા ગુસ્સે
IPL 2022 પછી જ્યાં વિદેશી ખેલાડીઓ તરત જ તેમની નેશનલ ટીમની સાથે જોડાઈ ગયા છે અને મેચ રમે છે. ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર ખેલાડીઓ આરામ કરી રહ્યા છે. જી હા, એક તરફ જ્યાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરીઝ નથી રમી રહ્યા અને હાલમાં માલદીવમાં રજાઓ માણી રહ્યા છે.
બીજી તરફ, ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ નારાજ છે અને હાર પાછળ સિનિયર ખેલાડીઓની ગેરહાજરીનું કારણ માની રહ્યા છે.
રેસ્ટ કરવો છે જરૂરી
રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી T20 મેચ પહેલા વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે માલદીવના બીચ પર બેસીને પોતાની રજાઓ માણી રહ્યો હતો.
બીજી તરફ સાંજે મેચ હતી ત્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની મેચ નબળી બેટિંગના કારણે હારી ગઈ હતી. આ મેચમાં કોઈપણ ભારતીય બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો અને દક્ષિણ આફ્રિકાએ 18.2 ઓવરમાં મેચ જીતીને આ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી હતી. હવે ભારતે આ શ્રેણી જીતવા માટે સતત ત્રણ મેચ જીતવી પડશે.
રોહિત શર્મા પણ પરિવાર સાથે માલદીવ ગયો હતો
આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ બાદ સીધો પરિવાર સાથે રજાઓ ગાળવા માલદીવ ગયો હતો. તેણે તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જ્યારે IPLમાં પણ તેની ટીમ સારુ પ્રદર્શન કરી શકી ન હતી અને ટૂંક સમયમાં સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો.
આવી સ્થિતિમાં તેની પાસે આરામનો પુરતો સમય હતો. તો તે ટીમમાં કેમ ન જોડાયો? હાલ તેની ટીમને આ સમયે તેની સૌથી વધુ જરૂર છે. ન માત્ર બેટિંગ માટે પણ શાનદાર કેપ્ટનશિપ માટે પણ. કારણ કે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ભારતને દક્ષિણ આફ્રિકાની ટીમ જેવા જ ગ્રુપમાં રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં આ સિરીઝને વર્લ્ડ કપની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.