7 જાન્યુઆરીથી સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મૅચ માટે BCCIએ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દીધુ છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા બે બદલાવ સાથે મેદાન પર ઉતરશે. સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ છે ત્યારે નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો મળશે. બે ટેસ્ટમાં નિષ્ફળ રહેનાર ઓપનર મયંક અગ્રવાલને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
રોહિત શર્માની થશે વાપસી
ટીમ ઇન્ડિયામાંથી આ પ્લેયર બહાર
સિડનીમાં 7 જાન્યુઆરીએ રમાશે મૅચ
રોહિત શર્માની વાપસીનો ક્યાસ પહેલાથી જ લગાવવામાં આવી રહ્યો છે. જો કે તે સાફ નથી કે રોહિત શર્મા મયંક અગ્રવાલની જગ્યા લેશે કે પછી હનુમા વિહારીની પરંતુ ટીમ ઇન્ડિયાએ વિહારીને એક તક આપવાનો નિર્ણય કર્યો છે.
ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમ મજબૂરીમાં આ બદલાવ કરવા જઇ રહ્યું છે. નવદીપ સૈનીને ટીમ ઇન્ડિયાને ડેબ્યુ કરવાની તક આપી છે. નવદીપ સૈની ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝનો સાથ આપશે.
સ્પિન બૉલરની જવાબદારી આ સિરીઝમાં શાનદાર ફોર્મ તાવનાર અશ્વિનના માથે રહેશે. રવિન્દ્ર જાડેજાએ પહેલી ટેસ્ટમાં 57 રન બનાવ્યા હતા અને ઓલરાઉન્ડર ટીમમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી હતી.
ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યુને લઇને ઘણી ચર્ચા હતા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે સૈનીની જગ્યાએ નટરાજનનું ડેબ્યુ થશે. આવુ થયુ નહી અને નટરાજનને હાલ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે રાહ જોવી પડશે.