રોહિત પહેલા રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે પણ બીસીસીઆઈ અને રોહિતે પોતે આ વાત પરથી કોઈ શીખ ન લીધી અને એટલા માટે જ આજ તેઓ કોરોના સંક્રમિત બન્યા.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ આની ચપેટમાં આવી ગયા
ભારતના ઇંગ્લેન્ડ ટુર પહેલા રવિચંદ્રન અશ્વિન પણ કોરોના સંક્રમિત બન્યા હતા
આંતરરાષ્ટ્રીય મેચ શરુ થતા બીસીસીઆઈએ બાયો બબલ પૂર્ણ કરી નાખ્યું હતું
કોરોના ફરી માથું ઊંચકી રહ્યું છે એવામાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ આની ચપેટમાં આવી ગયા છે. ભારતને એક જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિજની છેલ્લી મેચ રમવાની છે, જે મેચનું ગયા વર્ષે કોરોનાને કારણે આયોજન નહતું થયું, આ વર્ષે પણ આ મેચ પર કોરોનાનો કહેર મંડરાઈ રહ્યો છે. શનિવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્માએ બોલિંગ નહતી કરી. લોકોને તેની પાછળનું કારણ સમાજમાં નહતું આવતું કે રોહિત શર્મા ટીમના કેપ્ટન શા માટે પ્રેક્ટિસ મેચમાં ભાગ નથી લઇ રહ્યા પણ મોડી રાત્રે એ વાત બહાર આવી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત બન્યા છે.
હાલ એવું લાગી રહ્યું છે કે ટિમ ઇન્ડિયાની પહેલી મેચ કેપ્ટન વિના જ રમવી પડશે. એવામાં સાથે આ પણ સમાચાર આવી રહ્યા છે કે રોહિતની જગ્યા પર ઋષભ પંત કેપ્ટન બની શકે છે. જો કે હજુ મેચને સમય છે તો રોહિત ફરી સ્વસ્થ થઈને મેચ રમી શકે એવી આશા લોકોમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા રેપિડ એન્ડીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ પછી તુરંત જ એમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ સાથે હાલ બીસીસીઆઈની મેડિકલ ટિમ એમનું ધ્યાન રાખી રહી છે.
હાલ રોહિતે લગાતાર આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને કોરોનાના સંક્રમણને ઓછું કરવા માટે આઇસોલેશનમાં રહેવું પડશે. રોહિત શર્મા જેટલી જલ્દી કોરોના નેગેટિવ આવી જશે એટલી જલ્દી જ ટિમ ઇન્ડિયા સાથે પાછા જોડાઈ શકશે. જો કે ભારતના ઇંગ્લેન્ડ ટુર પહેલા રવિચંદ્રન અશ્વિન પણ કોરોના સંક્રમિત બન્યા હતા. ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી વિરાટ કોહલી પણ સંક્રમિત થયા હતા. એ છતાં પણ બીસીસીઆઈએ તેમના ખેલાડીઓને બાયોબબલમાં રાખવા વિશે ન વિચાર્યું. આ સાથે જ રોહિત અને વિરાટ બંને માસ્ક લગાવ્યા વિના લંડનમાં ફરતા નજરે ચઢ્યા હતા અને ફેન્સ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. આ વાત પાર બીસીસીઆઈ પણ નારાઝ થઇ હતી અને હવે રોહિત શર્મા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
29 મેના રોજ આઇપીએલ દરમિયાન દરેક ખેલાડીઓ બાયો બબલમાં રહ્યા હતા પણ આંતરરાષ્ટ્રીય મેચ શરુ થતા બીસીસીઆઈએ બાયો બબલ પૂર્ણ કરી નાખ્યું હતું. ખેલાડીઓ લાંબા સમય સુધી બાયો બબલને કારણે થઇ રહી પરેશાની અને વર્કલોડ વિશે શિકાયત કરી રહ્યા હતા. જો કે બીસીસીઆઈએ વર્કલોડ ઓછું ન કર્યું પણ બાયો બબલ હટાવીને ખેલાડીઓને પરેશાનીમાં મૂકી દીધા હતા. બાયો બબલ એટલે ખેલાડીઓથી મળનાર કોઈ પણ સદસ્ય બહારના વ્યક્તિ સાથે સંપર્કમાં ન આવા જોઈએ. એમની પાસે આવનાર દરેક વસ્તુ સેનિટાઇઝ કરવામાં આવે છે. આ કારણે કોરોનાનો ખતરો ઘણો ઘટી જાય છે.