લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ સુશિલ મોદીને ટ્વિટર પર આડે હાથે લીધા હતા. તેણે કહ્યું કે આજ પછી જો મારા પરિવાર પર કોઈ પણ ટિપ્પણી કરી છે તો તમારી ખેર નથી.
બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ સુશીલ મોદીએ કરેલ ટ્વિટનો મામલો
અમે ચલાવીશું હોસ્પિટલ
કોણ છે લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્ય
બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ સુશીલ મોદીએ કરેલ ટ્વિટનો મામલો
બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ સુશીલ મોદી વારંવાર આરજેડી નેતા તેજસ્વી યાદવ પર પ્રહાર કરતાં રહેતા હોય છે. તેજસ્વી યાદવે બુધવારે પોતાના પટના સ્થિત સરકારી ઘરમાં કોવિડ સેન્ટર ઊભું કર્યું હતું અને તે ઘરમાંથી ઑક્સીજન અને બીજી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું શરૂ કર્યું. તેના પર સુશિલ મોદીએ નિશાન સાધતાં કહ્યું કે લાલુ યાદવનું પટનામાં જે પોતાનું ઘર છે તેમાં કેમ હોસ્પિટલ નથી બનાવી? આ સવાલના જવાબમાં લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્ય ગુસ્સે થઈ અને ચેતવણી આપી કે આજ પછી જો મારા પરિવાર પર કોઈ ટિપ્પણી કરી છે તો તમારી ખેર નથી. તેણે એક પછી એક ટ્વિટ કરી સુશીલ મોદીને ચેતવણીઓ આપી આકરા પ્રહાર કર્યા.
અમે ચલાવીશું હોસ્પિટલ
રોહિણીએ એક ટ્વિટ કરીને કહ્યું કે " હું બે હાથ જોડીને ભાઈ તેજસ્વીને વિનંતી કરું છું કે સરકારી ઘરમાં જે કોવિડ સેન્ટર બનાવ્યું છે એ સરકારી હોસ્પિટલ કરતાં પણ વધુ સારું ચલાવજો અને જો ચલાવી શકો તો અમને પરવાનગી આપજો. તેણે બિહારના સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડે પર પણ નિશાન સાધીને કહ્યું કે "અમંગલ પાંડે, તું ખુરશી છોડ, હજારો લોકોની મોતનો જવાબ તો આપવો જ પડશે"
કોણ છે લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્ય
લાલુ યાદવ અને રાબડી દેવીને કુલ 9 સંતાનો છે. તેમાંથી બે દીકરીઓ ડૉક્ટર થયેલ છે. એક છે મીસા ભારતી અને બીજી રોહિણી આચાર્ય. રોહિણી બીજા નંબરની દીકરી છે અને હાલ તે સિંગાપુરમાં રહે છે. તેના લગ્ન સમરેશ સિંહ સાથે થયેલી છે. સમરેશ એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તે સિંગાપુરમાં જ કામ કરે છે. જ્યારે તે બંનેના લગ્ન થયા ત્યારે સમરેશ સિંહ અમેરિકામાં કામ કરતાં હતા.
તેઓ હાલ સિંગાપુરમાં આલીશાન જિંદગી જીવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં તેમની લાઈફ સ્ટાઈલના ઘણા ફોટો જોઈ શકાય છે. તેમનું ઘર એકદમ ભારતીય ઘર મુજબનું છે. સમરેશના પિતાજી અને લાલુયાદવ કોલેજના મિત્રો છે