માનવાધિકાર રક્ષા માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે તપાસ બાદ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જે ચોંકવાનારો છે કેમકે આ રિપોર્ટ દ્વારા આશરા માટે દયાની ભીખ માગનારા રહિંગ્યાઓનો ક્રૂર ચહેરો ખુલ્લો પડયો છે.જોઈએ આશરાની ભીખ માગનારા પરંતુ ક્રૂરતાને દિમાગમા જગા આપનારાઓ છે 100 હિંદુઓના હત્યારા.
ઉલ્લેખનીય છે કે માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે તપાસ બાદ જાહેર કરેલા એક રિપોર્ટમાં રોહિંગ્યાઓનો અસલી ચહેરો ખુલ્લો પાડયો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગત વર્ષે મ્યાનમારમાં ઓગસ્ટ માસમાં રોહિંગ્યા મુસ્લીમ કટ્ટરપંથીઓએ અંદાજે 100 હિંદુઓને હુમલામાં મારી નાંખ્યા હતા.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલાના રિપોર્ટમાં જણાવાયું છે કે અરાકન રોહિંગ્યા સૈલ્વેશન આર્મી એટલે કે `અરસા' નામના સંગઠને એક કે બે ટુકડીઓ બનાવી આચરેલા નરસંહારમાં અંદાજે 99 હિંદુઓને મારી નાખ્યા હતા. જો કે આ અંગે `અરસા'એ આરોપોનું ખંડન કર્યુ છે.અરસા સંગઠનનો નેતા અતા ઉલ્લાહ છે.
એમ્નેસ્ટીના રિપોર્ટ મુજબ 26 ઓગસ્ટ 2017ના રોજ ` અહ નૌક ખા મૌંગ સીક'નામના હિંદુ વસતીવાળા ગામ પર રોશહગ્યાઓએ હુમલો કર્યો હતો..પહેલા મહિલાઓ પુરુષો અને બાળકોને પકડવામાં આવ્યા પછી હિંદુઓમાં ખૌફ ફેલાવવમાં આવ્યો અને પછી તેમના જ ગામમાં હિંદુઓને યાતનાઓ આપીને મારી નાખવામાં આવ્યા.
બચેલા હિંદુઓએ એમ્નેસ્ટીને જણાવ્યું કે તેમણે પોતાના સંબંધીઓની કતલ થતી નજર સામે જોઈ છે.અને તેમની વેદનાની ચીસો પણ સાભળી છે.એક મહિલાએ એમ્નેસ્ટીને જણાવ્યું કે રોહિગ્યાઓ પાસે ચાકુ હતા. લોખંડના સળિયા હતા તેમણે પહેલા પુરુષોને મારી નાખ્યા.`અરસા'ના લોકો પર 20 પુરુષ 10 મહિલાઓ અને 23 બાળકોની હત્યાનો આરોપ છે.
એમ્નેસ્ટીએ જણાવ્યું કે ગત સપ્ટેમ્બરમાં ચાર કબ્રસ્તાન માંથી 45 લોકોના મૃતદેહો શોધવામા આવ્યા છે.જ્યારે અન્ય 46 પીડિતોના મૃતદેહ મળી શક્યા નથી. તપાસમાં જાણી શકાયું છે કે `યે બૌક ક્યાર' ગામમાં પણ હિંદુઓની કત્લેઆમ એ દિવસે જ થઈ હતી. કુલ મળીને લગભગ 99 લોકોની હત્યા થઈ હોવાનું આંકડો સામે આવ્યો છે.`અરસા' તરફથી કરવામાં આવેલા હુમલા બાદ મ્યાંમારની મિલિટરીએ સામૂહિક રીતે રોહિંગ્યા વસતીને ખાલી કરાવવાની ઝુંબેશ ઉપાડી હતી.