ભારતના પૂર્વ બેટ્સમેન રોહન ગાવસ્કરે વિરાટ કોહલીના સ્થાન અંગે મોટી વાત કહી છે. તમને જણાવ્યું કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરવું જોઈએ
ટી-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત
ભારતના પૂર્વ બેટ્સમેન રોહન ગાવસ્કરે કરી ટીપ્પણી
વિરાટ કોહલીએ રોહિત સાથે ઓપનિંગ કરવી જોઈએ
ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમિટી (AISSC) સોમવારે ટી-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ઈજામાંથી સાજા થયા બાદ પરત ફર્યા છે. આ સાથે જ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્પિનર રવિ બિશ્નોઈને સ્ટેન્ડબાયમાં સ્થાન મળ્યું છે. ભારતના પૂર્વ બેટ્સમેન રોહન ગાવસ્કરે વિરાટ કોહલીના સ્થાન અંગે મોટી વાત કહી છે.
વિરાટની એવરેજ સારી છે
રોહન ગાવસ્કરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરવું જોઈએ કારણ કે વિરાટ કોહલીના ઓપનિંગ કરતી વખતેના મેચના આંકડા જોઈએ તો આપણે તેના મોટા સ્કોર જોઈ શકીએ છીએ. વિરાટની એવરેજ પણ 55થી 57ની છે, જે કમાલની છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 160ની આસપાસ છે, હાલમાં જ તેણે એશિયા કપમાં ઓપનિંગ કરતી વખતે અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી, જે ટી20 ઇન્ટરનેશનલ કરિયરમાં તેની પ્રથમ સદી હતી.
કોહલીને ઓપનિંગ કરવું જોઈએ
ગાવસ્કરે વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી જ્યારે પણ આઇપીએલમાં ઓપનિંગ કરવા આવે છે ત્યારે આપણે તેને શાનદાર ઇનિંગ્સ રમતા જોઇએ છીએ. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા સાથે તેની ઓપનિંગ કરવી ખોટી નહીં હોય. એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ 5 મેચમાં કુલ 276 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર ત્રીજા નંબર પર
તેણે કહ્યું કે જો વિરાટ કોહલી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે તો કેએલ રાહુલે બહારનો રસ્તો જોવો પડશે, જોકે અલબત્ત તે એક સારો ખેલાડી છે, તેથી તેને ટીમથી બહાર કાઢવો યોગ્ય રહેશે નહીં. ગાવસ્કરે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવની પસંદગી કરી છે, તેમણે કહ્યું કે યાદવ ટી-20 ફોર્મેટમાં મહાન બેટ્સમેન છે.