ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત એક્શનમાં છે અને ગઈકાલે તેમણે સર્વપક્ષીય બેઠક પણ કરી. ભારતીય સેના પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે ત્યારે અમેરિકા પણ ચીન પર લાલઘૂમ થઇ ગયું છે, અમેરિકાનાં વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ચીન પર હુમલાઓ કર્યા.
ચીન સરહદ પર તણાવ વધારી રહ્યું છે : અમેરિકા
ચીને યુરોપ અને અમેરિકામાં શરુ કર્યું છે સાઈબર કેમ્પેન : અમેરિકા
ચીન અનેક દેશોને પોતાના દેવા તળે દબાવી રહ્યું છે : અમેરિકા
અમેરિકા અને યુરોપ વચ્ચે સાઈબર કેમ્પેન કરે છે ચીન
ભારત ચીન સીમા વિવાદ પર સતત તણાવ વધી રહ્યો છે. એવામાં અમેરિકાએ ફરીવાર ચીને આડે હાથ લીધું છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાના પડોશમાં કપટી વલણ અપનાવી રહ્યું છે. ને તે અમેરિકા અને યુરોપ વચ્ચે સાઈબર કેમ્પેન કરીને પ્રચાર કરી રહ્યું છે જેથી અહિયાં સરકારને નબળી કરી શકાય. વિકાસશીલ દેશોને ચીન પોતાના દેવા તળે દબાવી દેવા માંગે છે.
ભારત સાથે કરી ચીન વધારે છે તણાવ : અમેરિકા
પોમ્પિયોએ સીધું ભારતનું સમર્થન કરતા કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર ચીન તણાવ વધારી રહ્યું છે. દક્ષીણ ચીન સાગરમાં તે ખોટી રીતે પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. આટલું જ નહીં અમેરિકાએ ફરીવાર કોરોના મુદ્દે પણ ચીનની ઘેરાબંધી કરી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ચીને કોરોના વાયરસ મુદ્દે દુનિયાને ગેરમાર્ગે દોરી અને વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવ્યો.
નબળા દેશોનો ચીન ઉઠાવે છે ફાયદો
નોંધનીય છે કે અમેરિકાનાં વિદેશમંત્રી શુક્રવારે એક સમિટને સંબોધિત કરી રહ્યા હતા જેમાં ચીનથી યુરોપને શું પડકારો છે તેના પર ચર્ચા કરવામાં આવી રહી હતી. આ સમિટને સંબોધિત કરતા પોમ્પિયોએ અનેક મુદ્દે ચીન પર નિશાન સાધ્યું. પોમ્પિયોએ કહ્યું કે ચીનની સત્તાધારી પાર્ટી પડોશી દેશો સાથે સારા સંબધોના નાટક કરીને તેમની નબળાઈનો ફાયદો ઉઠાવે છે.
હોંગકોંગ અને તાઈવાનમાં આંતરરાષ્ટ્રીય સંધિઓનું છડેચોક ઉલ્લંઘન
માઈક અહિયાં જ થંભ્યા તેમણે હોંગકોંગ અને ચીનમાં મુસ્લિમો પર થતાં અત્યાચાર મામલે પણ દુનિયા સામે ચીનના અસલ ચહેરાને ઉજાગર કર્યો. તેમણે કહ્યું કે ચીને હોંગકોંગની આઝાદીને ખતમ કરી નાખી અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું છડેચોક ઉલ્લંઘન કર્યું. માનવાધિકારોનું ભંગ કરીને મુસ્લિમો પર પણ અત્યાચાર ગુજારાવામાં આવે છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ માઈક પોમ્પિયોએ ટ્વીટ કરીને લદાખમાં શહીદ થયેલા ભારતીય વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી.