ઇરાકમાં અમેરિકન દૂતાવાસ પર રૉકેટથી મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર, ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસની અંદર રૉકેટ હુમલો કર્યો, જ્યારબાદથી અફરા-તફરી મચી ગઇ. ઈરાને મસ્જિદ પર લાલ ઝંડો લહેરાવીને યુદ્ધનું એલાન કર્યું છે.
અમેરિકન દૂતાવાસ પર હુમલા બાદ અમેરિકાના હેલિકોપ્ટરોએ ઉડાન ભરી
મસ્જિદ પર લાલ ઝંડો લહેરાવીને ઈરાને કર્યું યુદ્ધનું એલાન
અમેરિકા દ્વારા કાસિમ સુલેમાનીની હત્યાના જવાબમાં ઈરાને યુદ્ધનું એલાન કર્યું છે. શનિવારે સવારે ઈરાને મસ્જિદની ઉપર લાલ ઝંડો લહેરાવીને સંભાવિત યુદ્ધની ચેતવણી આપી છે. જણાવી દઇએ કે લાલ ઝંડો લહેરાવવાનો મતલબ થાય છે કે યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યા છે અથવા યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે. રિપોર્ટ્સ અનુસાર આવું પહેલી વખત થયું છે કે જ્યારે ઈરાને આ પ્રકારથી મસ્જિદ પર ઝંડો લહેરાવ્યો.
સ્થાનિક સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે ઇરાકી રાજધાની બગદાદના ગ્રીન ઝોનમાં અમેરિકન દૂતાવાસની અંદર એક રૉકેટર ફાટ્યું. જણાવાય રહ્યું છે કે બગદાદના ગ્રીન ઝોનમાં અમેરિકન દૂતાવાસની અંદર કત્યૂષા રૉકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ હુમલામાં કેટલી જાનહાની થઇ છે. આના આંકડા જોકે સામે નથી આવ્યા.
આ હુમલા બાદ બગદાદમાં આકાશ પર અમેરિકન વિમાનો ઉડતા દેખાયા. સૂત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ ઇરાક સ્થિત બલાદ એરફોર્સ બેઝ પર બે રૉકેટ છોડવામાં આવ્યા. આ અમેરિકન સુરક્ષા દળોના સૈન્ય ઠેકાણા છે. અમેરિકન દૂતાવાસ પર આ હુમલો તે સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાએ ઈરાનના ટૉપ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને એર સ્ટ્રાઇકમાં ઠાર માર્યો છે. અમેરિકાના આ હુમલામાં કુલ 8 લોકોના મોત થયા હતા.
બગદાદમાં અમેરિકન એર સ્ટ્રાઇક બાદથી જ ખાડી ક્ષેત્રમાં તણાવ વધ્યો છે
અમેરિકાની આ એર સ્ટ્રાઇક બાદ ઈરાને પોતાના કમાન્ડર સુલેમાનીના મોતનો બદલો લેવાનું એલાન કર્યું હતું. અમેરિકન એર સ્ટ્રાઇખ બાદથી જ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે, અત્યાર સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ નથી થઇ કે અંતે અમેરિકન દૂતાવાસ પર આ હુમલો કોણે કર્યો છે?