મીઠુ એવી વસ્તુ છે જેના વગર ભોજન અધૂરુ છે. સામાન્ય રીતે એક વ્યક્તિને દિવસમાં એક ચમચી મીઠાની જરૂર હોય છે પરંતુ અલગ અલગ રીતે લોકો મીઠાનું પ્રમાણ કરતા વધારે ઉપયોગ કરી લેતા હોય છે. તમારા મીઠાને રૉક સોલ્ટ સાથે બદલી દો, કારણકે તેના ખૂબ જ ફાયદા છે.
પાચન સુધારવામાં અસરકારક
કૃમિનો નાશ કરે છે મીઠુ
રૉક સોલ્ટ પાચન સુધારે છે સાથે સાથે ભૂખ ઓછી કરવામાં પણ મદદ કરે છે. પેટની તકલીફોમાંથી રાહત મેળવવાની આ એક પ્રાકૃતિક રીત છે. આયુર્વેદ મુજબ રૉક સોલ્ટને તાજા ફૂદિનાના પત્તાની લસ્સીમાં મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તે પેટના કીડાને મારવામાં મદદ કરે છે, તેને લીંબુ સાથે પીવાથી પણ આ સમસ્યા દુર થાય છે.
મેટાબોલિઝમ એક એવી પ્રક્રિયા છે જે ભોજનને ઉર્જામાં બદલવામાં મદદ કરે છે. રૉક સોલ્ટનો ઉપયોગ શરીરમાં મેટાબોલિઝમને વધારવા માટે કરવામાં આવે છે, તે શરીરની પ્રક્રિયા સારી કરવામાં મદદ કરે છે.
પોટેશિયમ માંસપેસીઓને સંચાલિત કરવામાં મદદ કરે છે, આ માંસપેશીઓમાં દર્દની સાથે સોજામાં પણ રાહત અપાવે છે. ગળામાં સોજો, સૂકી ખાંસી કે ટોન્સિલની તકલીફોને દુર કરે છે. રૉક સોલ્ટને નવસેકા પાણીમાં નાંખીને કોગળા કરવાથી ફાયદો થાય છે.