ભરૂચના ઉટિયાદરામાં ટોળાએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરતાં ત્રણ સિક્યોરિટી ગાર્ડના મોત નિપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે બંધ કંપનીમાં ટોળાએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હોવાની આશંકા છે.
ભરૂચની બંધ કંપનીમાં લૂંટના ઇરાદે કર્યો હુમલો
ટોળાએ કરેલા હુમલામાં ત્રણ સિક્યોરિટી ગાર્ડના મોત
ઘટનાસ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી
ટોળાએ 3 સિક્યોરિટી ગાર્ડની કરી હત્યા
ભરૂચના ઉટિયાદરામાં ટોળા દ્વારા બંધ કંપની શ્રીજી ગ્લાસ્ના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કો આ હુમલામાં ઇજાગ્રસ્ત ત્રણ સિક્યોરિટી ગાર્ડના મોત થયાં છે. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બંધ કંપનીમાં લૂંટના ઇરાદે કરાયો હુમલો
ભરૂચમાં શ્રીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં લૂંટના ઇરાદા ટોળાએ ત્યાંના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. શ્રીજી ગ્લાસની કંપની હાલ બંધ હોય ત્યાં સિક્યોરિટી તૈનાત કરવામાં આવી છે. જો કે લૂંટના ઇરાદે આવેલા ટોળાએ સિક્યોરીટી પર હુમલો કરતાં ત્રણ સિક્યોરિટીના મોત નિપજ્યાં છે.