દાહોદના બારિયામાં ભાજપ અગ્રણીના ઘરમાં લૂંટની ઘટના સામે આવી જેમાં લૂટારૂઓની ટોળકીએ ઘરમાંથી 31 લાખ રૂપિયાની લૂંટ ચલાવી જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી
દાહોદમાં ભાજપ અગ્રણીના ઘરમાં 31 લાખની લૂંટ
પરિવારને બંધક બનાવી 7 લૂંટારૂઓએ ચલાવી લૂંટ
ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી
દાહોદના બારિયામાં ભાજપ અગ્રણીના ઘરમાં લૂંટની ઘટના સામે આવી જેમાં લૂટારૂઓની ટોળકીએ ઘરમાંથી 31 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. પંચેલામાં રહેતા APMCના ચેમરેન અને ભાજપના અગ્રણી ભરત ભરવાડના ઘરે સાત જેટલા બુકાની ધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
દાહોદમાં ભાજપ અગ્રણીના ઘરમાં 31 લાખની લૂંટ
જેમાં પરિવારને બાનમાં લઈને લાકડી વડે માર મારી તમામને બંધક બનાવી લેવામાં આવ્યા હતા અને બાદમાં લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ભાજપ અગ્રણીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે પણ લૂંટ કરવામાં આવેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી
જો કે સીસીટીવીમાં લૂંટારુઓ લૂંટ કરી ભાગતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે તમામ સામે લૂંટ અને મારીમારી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભાજપના અગ્રણીના ઘરમાં લૂંટની આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે જો ભાજપના અગ્રણીનું ઘર સુરક્ષિત ન રહી શકે તો સામાન્ય નાગરિકની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસને કામગીરી પર પણ શંકા ઉપજી રહી છે.