અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાંઓ પડ્યા છે
અમદાવાદમાં ઠેર ઠેર રસ્તા ધોવાયા
કમરતોડ રસ્તાથી પ્રજા પરેશાન
શહેરમાં ભૂવાઓનું પણ સામ્રાજ્ય
શહેરમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે, ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યા છે. શહેરમાં પ્રિમૉન્સુર કામગીરની તંત્રની પોલી ખુલ્લી પડી ગઈ છે માત્ર સામાન્ય વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જોવા મળ્યા છે પરતું હવે પાણી ઓસરતા રસ્તાઓ ઉબડખાબડ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રસ્તા ધોવાયા
અમદાવાદમાં વરસાદના કારણે રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. અમદાવાદમાં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. રાજપથ ક્લબ, વસ્ત્રાપુર, ગુરુકુળ સહિતના રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ છે. આ તરફ શહેરમાં વાડજ, રાણીપ, સુભાષબ્રિજ સહિતના માર્ગોની હાલત એટલી ખખડધજ બની ગઈ છે.
પ્રજાએ ભરેલા ટેક્સ સામે તંત્રની ખરાબ રસ્તાની ભેટ
લોકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવાની માગ કરી છે. લોકો કહી રહ્યાં છે કે માસ્કનો દંડ વસુલનારું તંત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે. રસ્તાઓ પર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં 2 કલાકના વરસાદમાં જ રસ્તાઓ ધોવાઇ જતા મનપાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.
કમરતોડ રસ્તા પરથી પસાર થતી પ્રજા પરેશાન
શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં પણ રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. એક વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓ ધોવાઇ ગયા છે. અને રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાંઓ પડ્યા છે. રસ્તામાં જ્યાં જૂઓ ત્યાં મોટા મોટા ખાડા જોવા મળી રહ્યાં છે. રસ્તા પર ખાડાઓના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. સુભાષબ્રિજથી ચાંદખેડાના માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે. સુભાષબ્રિજ-સાબરમતી વચ્ચેના રસ્તા પણ બિસ્માર હાલતમાં છે. પ્રથમ વરસાદ બાદ રસ્તા ધોવાયા છતાં કામગીરી કરવામાં આવી નથી.
અત્યાર સુધીમાં 20થી વધુ વિસ્તારમાં પડ્યા છે ભૂવા
અમદાવાદમાં રોડ રસ્તાની આ હાલત જોતા સવાલ થાય છે કે શું જનતા સુવિધાઓની હકદાર નથી, જનતા પાસેથી પુરો ટેક્સ વસુલવામાં આવે છે તો શા માટે કોન્ટ્રાક્ટરો સામે પગલા નથી લેવાતા, શું નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિભગત છે, કોઈ વિદેશી મહેમાન માટે ગણતરીના દિવસોમાં જ રસ્તા બની જતા હોય, રંગરોગાન થઈ જતું હોય તો પછી ઈમાનદારીથી ટેક્સ ભરતી જનતાને શા માટે ખાડામાં ઠોકરો ખાવાનો વારો આવે છે.