આગામી 1 વર્ષમાં દેશના તમામ હાઈ-વે ટોલ બૂથ ફ્રી થઈ જશે. આ જાહેરાત કરી છે ખુદ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ.
દેશના હાઈ-વે થશે ટોલ બૂથ ફ્રી
નીતિન ગડકરીએ કરી જાહેરાત
GPS સિસ્ટમથી થશે મોનિટરિંગ
હાઈ-વે પર વાહન ચાલશે એટલો જ ટોલ લેવાશે
લોકસભામાં મંત્રી નીતિન ગડકરીનું મોટુ નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર આગામી એક વર્ષમાં બધા જ ટોલ પ્લાઝા ખતમ કરી દેવાની યોજના પર કામ કરી રહી છે. આવનારા સમયમાં ટેકનોલોજીની મદદથી લોકોએ ટોલની ચૂકવણી કરવાની રહેશે. આગામી સમયમાં લોકોએ એટલો જ ટેક્સ આપવાનો રહેશે જેટલી મુસાફરી કરવામાં આવી હોય.
1 વર્ષમાં તમામ ટોલ બૂથ હટાવાશે: ગડકરી
નોંધનીય છે કે અમરોહાના બીએસપી સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢ મુક્તેશ્વરની પાસ આવેલા ટોલ પ્લાઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર જવાબ આપતા નીતિન ગડકરીએ કહ્યું કે પાછલી સરકારોમાં પરિયોજનાઓના કોન્ટ્રાક્ટમાં થોડી મલાઈ નાંખવામાં આવે તે માટે આવા ટોલ પ્લાઝા ઊભા કરી દીધા હતા. આ નિશ્ચિત રૂપે ખોટું છે અને અન્યાય છે.
GPS સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે: ગડકરી
નીતિન ગડકરીએ કહ્યું કે જો આવા ટોલ પ્લાઝાને કાઢી નાંખવામાં આવશે તો રસ્તો બનાવનાર કંપની વળતર માંગશે પણ સરકાર હવે એક વર્ષમી દેશમાં બધા જ ટોલ ખતમ કરવાની યોજના બનાવી છે.
વાહન હાઇવે પર ચઢશે ત્યારે કેમેરો તમારા વાહનનો ફોટો લેશે: ગડકરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટોલ ખતમ કરવાનો અર્થ ટોલ પ્લાઝા ખતમ કરવાનો છે. હવે સરકાર એવી ટેકનિક પર કામ કરી છે કે જેવા તમે હાઇવે પર ચડશો તો કેમેરાથી ફોટો લેવામાં આવશે અને હાઇવેથી ઉતરી જશો એટલે કેમેરાથી ફોટો પડી જશે. જેટલા રોડ પર મુસાફરી કરવામાં આવી છે બસ એટલો જ ટોલ આપવાનો રહેશે.
નોંધનીય છે કે દેશમાં ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા દેશમાં લાંબા સમયથી અને વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અત્યારે કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની યોજનાને લાગુ કરી દીધી છે જેની મદદથી ઓટોમેટિક જ ટોલ ટેક્સ ભરાઈ જાય છે.