પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં આજે પટિયાલા સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને મોટો ઝટકો લાગ્યો
34 વર્ષ જૂના કેસમાં કોર્ટે આપી હતી 1 વર્ષની સજા
પટિયાલા કોર્ટમાં સિદ્ધુએ સરેન્ડર કર્યું
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં આજે પટિયાલા સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અગાઉ તેણે સુપ્રીમ કોર્ટને રોડ રેજ કેસમાં આત્મસમર્પણ માટે સમય આપવાની વિનંતી કરી હતી. તેના પર જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચે સુનાવણી માટે ચીફ જસ્ટિસ એનવી રમના પાસે જવાનું કહ્યું હતું.
જોકે આજે SCમાં ચીફ જસ્ટિસે કોઈપણ કેસનો ઉલ્લેખ સાંભળવાની ના પાડી દીધી હતી, આવી સ્થિતિમાં સિદ્ધુની અરજી પર આજે સુનાવણી થઈ શકી ન હતી, જેના કારણે તેણે પટિયાલા સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. તે થોડા સમય પહેલા કોર્ટમાં જતા જોવા મળ્યા હતા.
1988 road rage case | Punjab: Congress leader Navjot Singh Sidhu leaves for Sessions Court, from his residence in Patiala. pic.twitter.com/u9B0g87n5C
સુપ્રીમ કોર્ટે ગુરુવારે 1988ના રોડ રેજ કેસમાં નવજોત સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઘટનામાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ઓછી સજા માટે કોઈપણ સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાની અસરકારકતામાં લોકોના વિશ્વાસને નબળી પાડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા સિદ્ધુએ ટ્વીટ કર્યું હતું કે, હું કાયદાનું સન્માન કરીશ.
#WATCH | 1988 road rage case: Congress leader Navjot Singh Sidhu reaches Patiala Court in Punjab.
Supreme Court had yesterday imposed one-year rigorous imprisonment on him in the three-decade-old road rage case. pic.twitter.com/iHu3bmbOls
સિદ્ધુ અને તેમના સહયોગી રુપિન્દર સિંહ સંધુ 27 ડિસેમ્બર, 1988ના રોજ પટિયાલામાં શેરાંવાલા ગેટ ક્રોસિંગ પાસે રોડની વચ્ચે પાર્ક કરેલી જીપ્સીમાં હતા. તે સમયે ગુરનામ સિંહ અને અન્ય બે લોકો પૈસા ઉપાડવા બેંકમાં જઈ રહ્યા હતા.
જ્યારે તેઓ ચારરસ્તા પર પહોંચ્યા, ત્યારે મારુતિ કાર ચલાવી રહેલા ગુરનામ સિંહને રસ્તાની વચ્ચે જીપ્સી મળી અને તેણે સિદ્ધુ અને સંધુને તેને દૂર કરવા કહ્યું. જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ગુરનામ સિંહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.