કચ્છ / વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, નલિયાથી કોટેશ્વર જતો રોડ ધોવાયો

મરૂધરા કચ્છમાં કોન્ટ્રાક્ટર-નેતાઓ અને અધિકારીઓની મિલી ભગત સામે આવી છે. વરસાદના કારણે નહી પણ ભ્રષ્ટાચારને કારણે રોડ ધોવાયા હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. વરસાદે નલિયાથી કોટેશ્વર જતા રોડમાં થયેલા ભ્રષ્ટાચારને છત્તો કર્યો છે. સામાન્ય વરસાદમાં નલિયાથી કોટેશ્વર જતો રોડ ગાયબ જ થયો છે. વરસાદથી રોડ ધોવાતા રોડમાં વપરાયેલું મટિરિયલ દેખાવા લાગ્યું છે...માત્ર કાંકરા અને ધૂળની ઉપર પાથરેલા ડામરથી રોડ ધોવાયો છે. વરસાદનું બહાનું કાઢતા નેતા-અધિકારીઓએ આત્મમંથન કરવા જેવો કિસ્સો છે.

બ્રેકિંગ ન્યૂઝ