હૈદ્રાબાદનાં ગોશામહેલ વિસ્તારમાં રોડ ધસી પડ્યો છે. માહિતી અનુસાર આ રોડ ગટરની ઉપર બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે તેના પર બજાર ભરાયેલ હતી જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં શાક ખરીદવા આવ્યાં હતાં.
હૈદ્રાબાદમાં રોડ ધસી પડતાં લોકોમાં હડકંપ
માહિતી અનુસાર ગટરની ઉપર રોડ બનાવ્યો હતો
શાક વિક્રેતાઓનું થયું ભારે નુક્સાન, કોઇ જાનહાની નહીં
હૈદ્રાબાદનાં ગોશામહેલ વિસ્તારમાં શુક્રવારે રોડ ધસી પડ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટના બની ત્યારે તેના પર શાક માર્કેટ લાગેલી હતી જેના કારણે તે સમયે રોડ પર ભીડ હતી. આ ઘટના બાદ આસપાસ હડકંપ મચી ગયો. જો કે કોઇ જાનહાનીની માહિતી મળી નથી. પરંતુ આ ઘટના દરમિયાન કેટલીક ગાડી અને ઠેલાઓ રોડ સાથે નીચે ખાડામાં ઊતરી ગઇ હતી. સૂચના મળતાંની સાથે જ પોલીસ અને GHMCનાં અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
#WATCH हैदराबाद के गोशामहल इलाके में एक सड़क धंसी। सड़क के नीचे जलभराव होने से सड़क धंसने की वजह बताई जा रही है।
ગટરની ઉપર બનાવાયો હતો રોડ
માહિતી અનુસાર આ રોડ ગટરની ઉપર બનાવવામાં આવ્યો હતો. ઘટના સમયે લાગેલ શાક માર્કેટમાં લોકોની ભીડ હતી. જોકે અચાનક ઘટેલી આ ઘટનામાં અમુક લોકો ઠેલા સહિત નીચે ઘબળાતાં નજરે પડ્યાં હતાં. સદનસીબે કોઇપણ પ્રકારની ગંભીર ઇજા થઇ નહીં. જો કે ઘટના સમયે સ્થાનીય લોકોને એકબીજાને મદદ કરી હતી. શાક વેંચનારાઓને આ દુર્ઘટનાને કારણે નુક્સાન ભોગવવું પડ્યું છે. આ ઘટનાને લઇને જનતામાં આક્રોશ દેખાઇ રહ્યો હતો.
ગોશામહલ વિધાયક રાજાસિંહે કહ્યું કે પુલનું નિર્માણ 2009માં કોંગ્રેસનાં શાસનમાં થયું હતું. આ ભ્રષ્ટાચાર છે કારણકે ગટરની ઉપર પુલનું નિર્માણ કરવામાં ખરાબ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો શાહીનાયછગંજ પોલીસ ઇન્સ્પેક્ટર અજય કુમારે જણાવ્યું કે ઘટના બપોરનાં 2 વાગ્યા આસપાસ બની હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યું છે.
ગાડીઓ પણ ધસી અંદર
વીડિયોમાં જોઇ શકાય છે કે જમીન અંદર ધસી ગઇ છે ત્યારે ગાડીઓ પણ તેની અંદર પડી ગઇ છે. શાકનાં ઠેલાઓ પણ અંદર ધસી જતાં નજરે પડે છે. તો વાહનોને પણ ક્ષતિ થયેલ જોવા મળે છે.