બનાસકાંઠાઃ જિલ્લામાં આજે નેશનલ હાઈ-વે દ્વારા ધાનેરા પાંથાવાડા રોડનાં નવીનીકરણ અને વર્ષો જુના ધાનેરા રેલવે બ્રિજનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને હરિભાઈ ચૌધરીનાં હસ્તે 600 કરોડનાં રોડ અને રેલવે બ્રિજનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
દેશનાં દરેક રાજ્યમાં સરસ પરિવહનની વ્યવસ્થા થાય તે માટે કેન્દ્ર સરકાર માર્ગો માટે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જેને લઈ બનાસકાંઠાનાં અંતરિયાળ વિસ્તાર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા થરાદ પાંથાવાડા રોડને પહોળો કરવામાં આવશે. જેનાં કારણે સ્થાનિક પરિવહન અને રાજસ્થાનનાં વાહનોને અવરજવર માટે સરળતા રહેશે.
રૂ.600 કરોડનાં ખર્ચે આજે રોડ અને બ્રિજની કામગીરી કરવામાં આવશે. આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને હરિભાઈ ચૌધરીએ આ નવીન કામોનું ઉદઘાટન કર્યું. ધાનેરા શહેરની વર્ષો જૂની માંગ હતી કે શહેરનાં મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા રેલ્વે ઓવર બ્રિજને પહોળો કરવામાં આવે.
જ્યારે આ વિસ્તારમાં રાજસ્થાન તરફથી વાહનો વધુ આવતાં હોવાંથી અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું હતું. જે ઉપરાંત યોગ્ય માર્ગો ન હોવાથી 2015 અને 2017માં આવેલા પૂરમાં બિસ્માર રસ્તાઓનાં કારણે આ વિસ્તાર સંપર્ક વિહોણાં બન્યાં હતાં. ધાનેરાનાં અંતરિયાળ વિસ્તારને આ માર્ગ સાથે જોડાશે. જ્યારે શહેરની વર્ષો જૂની માંગણી સંતોષાતા સ્થાનિક લોકોને સુખાકારીનો આનંદ અનુભવ્યો હતો.