મધ્ય પ્રદેશના રાજગઢમાં હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં બે યુવકોના કરૂણ મોત થયા છે.
મધ્ય પ્રદેશના રાજગઢમાં હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના આવી સામે
ગાયને બચાવવા જતા કાર કૂવામાં ખાબકી, બે નેતાઓના થયા મોત
ત્રીજો યુવક કાર કૂવામાં પડ્યા પહેલા બહાર આવી ગયો
40 ફૂટ ઊંડા કૂવામાં પડી કાર
એક કાર 40 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઇ. જેને કારણે કારમાં બેઠેલા બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચના બે નેતાઓના મોત થયા છે. જ્યારે એક યુવક ઘાયલ થયો. આ ઘટના રાજગઢથી ખુજનેર રોડ પર બરખેડા ગામની છે. પોલીસ મુજબ, રવિવારે મોડી રાત્રે કાર કૂવામાં પડી ગઇ હતી. કારમાં બેઠેલા 2 યુવકો પણ કારની સાથે ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે ત્રીજો યુવક કાર કૂવામાં પડ્યા પહેલા કારની બહાર આવી ગયો હતો. ત્યારબાદ તેને ઈન્દોર ખસેડવામાં આવ્યો હતો.
આશરે 4 કલાક સુધી ચાલ્યુ રેસ્ક્યુ ઓપરેશન
આશરે 4 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ સોમવારે સવારે 5 વાગ્યે ક્રેનની મદદથી કારને કૂવામાંથી કાઢવામાં આવી હતી. 2 યુવકોના મૃતદેહ કારમાં ફસાયા હતા. જેની ઓળખ બજરંગ દળના સહ કન્વીનર લેખરાજ સિસોદીયા અને હિન્દુ જાગરણ મંચના જિલ્લા મહામંત્રી લખન નેજરના રૂપમાં થઇ છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.
ગાયને બચાવવાના ચક્કરમાં કાર કૂવામાં ખાબકી
રાજગઢ પોલીસ સ્ટેશનના એએસઆઈ સોમનાથ ભારતી મુજબ, રસ્તા પર બે ગાય મૃત અવસ્થામાં હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાયને બચાવવાના ચક્કરમાં ઝડપી ચાલતી કાર બેકાબુ થઇ અને કૂવામાં ખાબકી.