મધ્યપ્રદેશના ખરગોનમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખરગોનમાં એક બસ પુલ પરથી નીચે ખાબકતા 15 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ખરગોનમાં મોટો અકસ્માત
બસ પુલ પરથી નીચે ખાબકી
15 લોકોના મોત, 25 ઘાયલ
મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. મધ્યપ્રદેશના ખરગોનમાં ઈન્દોર તરફ જઈ રહેલી બસ પુલ પરથી નીચે ખાબકી છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Madhya Pradesh | 15 people dead and 25 injured after a bus falls from a bridge in Khargone. Rescue operation underway: Dharam Veer Singh, SP Khargone pic.twitter.com/X66l8Vt7iT
ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ નીચે ખાબકી
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે એક બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ ખરગોનમાં ખરગોન ટેમલા રોડ પર દાસંગા પાસે જ પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બસ પુલ પરથી નીચે ખાબકી હતી. બસ પુલ પરથી નીચે ખાબક્યા બાદ જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિકોની મદદથી મુસાફરોને કઢાયા બસમાંથી બહાર
ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. બસમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
15 લોકોને ડોક્ટરોએ જાહેર કર્યા મૃત
ડોક્ટરોએ 15 લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે 25 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે ખરગોનના પોલીસ અધિક્ષક (SP) ધરમવીર સિંહનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે ઈન્દોર જઈ રહેલી બસમાં લગભગ 50 લોકો સવાર હતા.
MP સરકારે વળતરની કરી જાહેરાત
મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર અને અન્ય ઈજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.