અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે એક દુર્ઘટના બની છે જેમાં 9 લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે પોતાની ગાડીના સ્ટિયરિંગ પર નિયંત્રણ ગુમાવ્યું અને અકસ્માત થયો હતો.
ગુજરાતના અમરેલીમાં ગમખ્વાર અકસ્માત
ટ્રકે ઝૂંપડીમાં સૂતેલા પરિવારને કચડ્યો
9 લોકોના કમકમાટી ભર્યા મોત
મળતી માહિતી અનુસાર ટ્રક ચાલકે પોતાની ગાડીના સ્ટિયરિંગ પર નિયંત્રણ ગુમાવ્યું અને અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા 108ની ટીમ અને એમ્બ્યુલન્સે બચાવ કામગીરી શરૂ કરી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે એક દુર્ઘટના બની છે જેમાં 9 લોકોના મોત થયા છે. બાઢડા ગામની નજીકના ઝૂપડીમાં સૂતેલા લોકોને કચડી દીધા હતા. અનેક લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ સમયે મચેલી બૂમોથી હાહાકાર મચી ગયો હતો.
કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી સહાયની જાહેરાત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દરેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને સૂચનાઓ પણ અપાઈ છે.
મોડી રાતે 3 વાગે બની ઘટના
ટ્રકે ઝૂંપડીમાં સૂતેલા લોકો પર મોડી રાતે 3 વાગે કહેર વર્તાવ્યો, પોલીસને જાણ થતાં તેઓ પહોંચ્યા. ઘાયલ લોકોને સારવાર માટે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 4 લોકોની અહીં સારવાર ચાલી રહી છે.