ગુજરાતના ભરૂચ અને દાહોદ જિલ્લામાંથી માઠા સમાચાર મળી રહ્યાં છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર દાહોદના નાનીડોકી ગામ પાસે રીક્ષા કોતરમાં ખાબકતા 3 બાળકોના મૃત્યું થયા છે. જ્યારે અન્ય ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ છે. જ્યારે ભરૂચ નજીક દહેજ રોડ પર ટ્રક અને વાન વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યાં છે.
ભરૂચમાં રોડ અકસ્માતમાં બે લોકોના મોત
દાહોદમાં રીક્ષા કોતરમાં ખાબકતા 3 બાળકોના મોત
મહિલાની પ્રસૂતિ કરાવીને ઘરે પરત ફરતા સમયે બન્યો બનાવ
ભરૂચમાં રોડ અકસ્માતમાં બે લોકોના મોત
ભરૂચ નજીક દહેજ રોડ પર ટ્ક અને વાન વચ્ચે અક્સ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે વાનને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પીક અપ વાનમાં સવાર પાંચ લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
દાહોદમાં ત્રણ બાળકોના મોત
પ્રાપ્ત મળતી વિગત અનુસાર દાહોદના નાની ડોકી ગામમાંથી માઠા સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં નાની ડોકી ગામ પાસે રીક્ષા કોતરમાં ખાબકતા 3 બાળકોના મૃત્યું થયા છે. જ્યારે રીક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ છે.
એક મળતા અહેવાલ મુજબ મહિલાની પ્રસૂતિ કરાવની ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના ઘટી છે. જેમાં નાની ડોકી ગામ નજીક રીક્ષા કોતરમાં ખાબકી ગઇ હતી. આ દૂર્ઘટનામાં 3 બાળકોના મૃત્યું થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.