ગાંધીનગરમાં ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાતા બે વિધાર્થીનીનાં મોત નિપજ્યા છે. ગાંધીનગરના કુડાસણ હાઇવે પર ભાઇજીપુરા પાસે આ દૂર્ઘટના બની છે. જેમા 3 વિદ્યાર્થીની અને 2 વિદ્યાર્થી કારમાં સવાર હતા.
સૂત્રોને મળતી માહીતી અનુસાર કારમાં ફીઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ સવાર હતા. અમદાવાદથી ગાંધીનગર ખાતે હોસ્ટેલ પરત ફરતાં સમયે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત દરમિયાન ઘાયલ અન્ય 3 વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.
આ અકસ્માતના મૃત્યુ પામેલાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. જ્યારે પ્રાથમિ માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીનીઓ પૈકી એક રાધનપુર તથા એક હિંમતનગરની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.