ભાવનગરમાં રો-રો ફેરી સેવા બંધ થવાના મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. રો-રો ફેરી સેવા બંધ થવાને લઇને ગતરોજ સંચાલકો કહી રહ્યા હતા કે, ટેક્નિકલ ખામીના કારણે ફેરી સેવા બંધ થઇ છે. જો કે હવે એક મળતાં અહેવાલ મુજબ બહાર એવું આવ્યું છે કે, ટિકિટ માટે કોન્ટ્રાક્ટમાં વધુ ભાડુ વસૂલાતું હતું જેના કારણે રો-રો ફેરી સેવા બંધ કરવામાં આવી હતી. હાલ 8 એપ્રિલ સુધી રો-રો ફેરી સર્વિસ બંધ છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરવામાં આવેલ રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ વારંવાર વિધ્ન વચ્ચે બંધ કરવામાં આવે છે. પીએમ મોદીએ રો-રો ફેરી સર્વિસના પ્રારંભ કર્યા બાદ જણાવ્યું હતું કે આ રો-રો ફેરી સર્વિસની શરૂઆત બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રોડમાર્ગના ટ્રાફિકનું ભારણ ઘટી જશે.
જો કે એક મળતાં અહેવાલ મુજબ રો-રો ફેરી સર્વિસના ટિકિટ બુકિંગના મુખ્ય એજન્ટ દ્વારા ગોટળો કરીને ગ્રાહકો પાસેથી નિયત દર કરતાં વધુ રૂપિયા લેવાનું બહાર આવતા હવે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો કે આગામી 8મી એપ્રિલથી ફરી રો-રો ફેરી સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
જો કે હાલમાં ફેરી ઓપરેટોર માટે નવા એજન્ટોની નિમણૂકને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સૂત્રોને જાણવા મળ્યું છે. જો કે આ અંગે થોડા સમયમાં જ ગ્રાહકોને એજન્ટો અને ટિકિટની રકમ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.