સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ આગામી 22 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. 2015માં કોરિયા ખાતે 4000 ટનનું બનેલું વોયેજ સીમ્ફોની નામનું આ જહાજ હવે પેસેન્જર અને વાહનો સાથેનું ખરા અર્થમાં રો રો ફેરી સર્વિસમાં શરૂ થશે.
આ રો રો ફેરી સર્વિસમાં 60 ટ્રક 35 બસ સાથે 525 જેટલા પેસેન્જરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ આવજાવ કરી શકશે. ભાવનગરથી દહેજ વચ્ચે બાય રોડનું અંતર 6 કલાકથી પણ વધુ છે.પરંતુ દરિયાઈ માર્ગે આ અંતર ઘટી જાય છે.
રો રો ફેરીમાં ટ્રક બસ મોટર કાર બાઈક જશે. રો રો ફેરીમાં ગુડઝની સાથો-સાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારે કલાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ કલાસ એક્ઝિક્યૂટિવ કલાસ ઇકોનોમી કલાસનો સમાવેશ થાય છે.
ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટીમાઈલનું અંતર આ જહાજ માત્ર એક કલાકમાં જ પૂરૂ કરશે જેને કારણે સમય અને નાણાં બંનેનો બચાવ થશે.