ભાવનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનો પ્રોજેક્ટ રો-રોફેરી સર્વિસ હવે બીજા ચરણમાં શરૂ થયા બાદ સફળતા તરફ આગળ વધી રહ્યો હોઈ તેમ લાગી રહ્યું છે.
ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ થયેલી રોપેક્ષ સેવામાં વાહનો અને મુસાફરો બંને પ્રવાસ કરી રહ્યાં છે. ખાસ કરીને સુરતમાં દિવાળી વેકેશન જાહેર થતાની સાથે સૌરાષ્ટ્ર્રમાં વસતા લોકો સુરતથી ભાવનગર આવવા માટે રો-રો ફેરીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે બપોરનું ભોજન સુરતમાં અને સાંજનું વાળું પરિવાર સાથે ગામડામાં કરીશું.
શું કહીં રહ્યાં છે સુરતવાસીઓ રો-રો ફેરી સર્વિસ વિશે?
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયા માર્ગે જોડવા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012માં સંકલ્પ કર્યો હતો. દરિયાઈ માર્ગે રો-રો ફેરી સર્વિસ ચાલુ કરવા તેનો પાયો નાખવામાં આવ્યો હતો. જો કે આ પ્રોજેક્ટ 15 માસમાં પૂરો કરવાનો હતો. પરંતુ દરિયાના કરન્ટ અને ટેક્નિકલ ખામીઓના કારણે આ પ્રોજેક્ટ 72 માસે પૂરો થયો છે. પરંતુ હવે લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. અગાઉ 2017માં ઈન્ડિગો સી હવે
કંપનીએ અહીં લિંક સપનાની સમસ્યાને લઇને માત્ર પેસેન્જર સેવા કરી હતી. હવે 2018ના ઓક્ટોબરમાં ફરી ખરા અર્થમાં રોપેક્ષ સેવા શરૂ કરવામાં સરકાર અને કંપનીને સફળતા મળી છે. ભાવનગરથી દહેજ રોડ માર્ગે 340 કિલોમીટર છે. જે દરિયાના માર્ગે માત્ર 30 કિલોમીટરનું અંતર થાય છે. રોડ માર્ગે સુરત જવા માટે 8થી 10 કલાકનો સમય થાય છે. પરંતુ હવે રો-રો ફેરીના કારણે 5 કલાકમાં લોકો ભાવનગરથી સુરત અને સુરતથી ભાવનગર આવી શકે છે.
રોડ અકસ્માત ઇંધણનો બચાવ અને દરિયાની આનંદદાયક મુસાફરી!
તાજેતરમાં શરૂ થયેલી રોપેક્ષ સેવામાં તર્ક બસ ફોર વ્હીલ અને બાઇક લઈને પણ લોકો મુસાફરી કરી રહ્યાં છે. દિવાળીનું વેકેશન પડતાની સાથે જે સુરતના લોકો પોતાની કાર અને બાઈક લઇને રો-રો મારફતે ભાવનગર આવી રહ્યા છે. મોટાભાગના જે લોકો સુરતમાં વસે છે તે સૌરાષ્ટ્ર તરફના છે. આ ઉપરાંત બોટાદ અમરેલી અને ગારિયાધારના લોકો પણ પોતાના વાહન મારફતે રો-રોમાં આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે રોડ અકસ્માત ઇંધણનો બચાવ અને દરિયાની આનંદદાયક મુસાફરીનો લ્હાવો લેવા જેવો છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ કારની સાથે પોતાના પરિવારને પણ દરિયાની મુસાફરીનો આનંદ કરાવી રહ્યા છે.
ભાવનગરના ઘોઘાથી શરૂ થયેલી આ રોપેક્ષ સેવામાં નીચેના ભાગે ટ્રક તેમજ ઉપરના ભાગે કાર પાર્કિંગની વ્યવસ્થાએ ગોઠવમાં આવી છે. આ ઉપરાંત બાઇક ચાલકો માટે પણ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સામાન્ય રીતે હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયેલા યુવકો પોતાની બાઈક લઇને રોડ માર્ગે આવતા હોઈ છે. તેમાં અકસ્માતનો ભય રહેતો હૉય છે પરંતુ હવે રોપેક્ષ સેવા શરૂ થતા લોકો માટે પાયે પોતાની બાઈક લઇને આવી રહ્યાં છે.
આ રોપેક્ષ સેવામાં દહેજથી ભાવનગર આવતા માત્ર 1 થી દોઢ કલાકનો સમય લાગે છે. તે પણ સસ્તાદરે અહીં 3 પ્રકારે ટિકિટના દર રાખવામાં આવ્યા છે. જેમાં 400 300 અને 200નો સમાવેશ થાય છે. આ રોપેક્ષ સેવામાં 2 કેન્ટિનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના કારણે લોકો આનંદમયઃ પ્રવાસ માણી રહ્યા છે. કંપની દ્વારા ઘોઘાથી ભાવનગર અને દહેજથી સુરત સુધી પોતાની બસ લોકોને લાવવા લઈ જવા માટે મુકવામાં આવી છે.
કેટલાક લોકો નું કહેવું છે કે રો-રોની મુસાફરી સારી છે અહીં સિક્યોરિટી વધારવાની જરૂર છે. લોકોનું કહેવું છે કે જેમનો સમાન કારમાં રાખવામાં આવે છે તે અને તમામ પેસેન્જરનો સમાન સ્કેન થઈને જ આવવો જોઈએ. જેથી કરીને કોઈ સમસ્યા ભવિષ્યમાં ક્યારેય ઉભી ન થાય.
બીજીબાજુ જહાજના કેપ્ટન આલોક ત્રિવેદીનું કહેવું છે કે જહાજમાં આવતા મુસાફરોએ સમયનું પાલન કરવું જરૂરી છે. તેમજ ગુટકા કે નશાનું સેવન કરીને મુસાફરીમાં ના આવવું જોઈએ.
આમ તો સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાત માટે વર્ષો પહેલા દરિયાના માર્ગે વ્યાપાર વાણિજય થતા હતા. પરંતુ સમય જતા દરિયામાં કાંપ વધી જતા દરિયામાં ડ્રેજીંગ આવશ્યક બની ગયું છે. આ જહાજમાં પોતાના વાહન લઇને આવનારા કેટલાક લોકો અને પરિવારો સાથે વીટીવી ખાસ વાતચીત કરી હતી અને લોકોએ આ સેવાને આવકારી હતી.
ભાવનગરના ઘોઘાથી શરૂ થયેલી રોપેક્ષ સેવાને દિવાળીના દિવસોનો સારો લાભ મળ્યો છે. આગામી 10 તારીખ સુધી સુરતથી ભાવનગર આવતી તમામ ટ્રીપો અત્યારથી જ બુક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
હાલ સુરતથી ભાવનગર દરરોજ 400 જેટલા પેસેન્જર આવી રહ્યા છે. હાલ સુરતથી દરરોજ 50થી વધુ કાર અને 200થી વધુ બાઈક દરેક ટ્રીપમાં આવી રહ્યાં છે. અગાઉ શરૂ થયેલી પેસેન્જર સેવામાં 1 વર્ષમાં 50000 પેસેન્જરોએ પ્રવાસ કર્યો હતો. આજે માત્ર 10 દિવસમાં 5થી 7 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરી ચુક્યા છે.