કેન્દ્ર સરકાર હાલ જળમાર્ગોનો મહત્તમ ઉપયોગ કરી સડકમાર્ગનું ભારણ ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે. હાલમાં સરકાર દ્વારા દેશના જળમાર્ગોને જોડવા માટેની કામગીરી ચાલુ છે. ત્યારે ભાવનગરના ઘોઘાથી દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ વચ્ચે રો-પેક્સની ફેરી સર્વિસ શરુ કરવા માટે વિચારણા ચાલી રહી છે.
ઘોઘાથી વધુ એક રૂટની રો-પેક્સ ફેરી શરૂ થશે
21000 કિ.મી. લાંબા વોટરવેઝને જોડવા પ્રયાસ
ઘોઘાથી મુંબઈ સુધી રો-પેક્સ ફેરી સર્વિસ માટે વિચારણા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. સરકાર દ્વારા ઘોઘાથી મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ માટે વિચારણા ચાલી રહી છે. ઘોઘા-હજીરા-મુંબઇ વચ્ચે રો-પેક્સ સર્વિસ ચાલું કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
સરકાર દ્વારા 21000 કિલોમીટર લાંબા વોટરવેઝને જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં બંને શહેરોને જોડવા માટે સર્વે કરાઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઘોઘા-હજીરા ખાતે રો-પેક્સ સર્વિસ અંગેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે અને મુંબઇમાં કામગીરી ચાલુ છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરિ સર્વિસના પ્રારંભ કરાવતા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશમાં ઉપલબ્ધ 21000 કિમી લાંબા વોટરવેઝને જોડવા માટે સતત પ્રયત્નશીલ છે.
ટૂંકી થશે મુંબઈ સુધીની સફર
ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવા માટે વિચારણા
ઘોઘા-હજીરા ખાતે રો-પેક્સ સર્વિસ અંગેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ
દેશમાં 21000 કિ.મી. લાંબા વોટરવેઝને જોડવા માટે પ્રયાસ
ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે