રાજકોટમાં રોગચાળાના મુદ્દાને ભટકાવવા માટે દારૂના મુદ્દે આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જો કે, કોણ સાચુ કોણ ખોટુ? તે તો તેમને પોતાને જ ખબર હશે. પણ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનો મુદ્દો ઉઠાવાયો હોવાનું મનપા રટણ કરી રહી છે. સામે પક્ષે વિપક્ષી નેતા વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે, મેં કોઈ પરમીટ માંગીજ નથી પણ રોગચાળાના મુદ્દા પરથી ધ્યાન હટાવવા દારૂનો સ્ટંટ કરવામાં આવ્યો છે.
એક સાથે 6 દારૂની પરમીટ વિપક્ષના નેતાએ માગી હતી
દારૂ પરમીટ મંજૂર ન થતા હોસ્પિટલમાં હોબાળો કરે છે
દારૂની પરમિટ લેવાની વાતને વશરામ સાગઠિયાનો સ્વીકાર
રાજકોટમાં પહેલા રોગચાળાને લઈને અને હવે દારૂની પરમિટને લઈને ઘમાસાણ જામ્યુ છે. રાજકોટ મનપાની સ્ટેડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગઢે વિપક્ષના નેતા વશરામ સાગઠિયા પર આરોપ લગાવ્યો છે કે વશરામે દારૂની પરમિટ માંગી હતી જે ન અપાતા તે રાજકોટના રોગચાળાના મુદ્દાને ચગાવી રહ્યા છે જ્યારે આ અંગે વિપક્ષી નેતા કહે છે કે, મારી પાસે તો પહેલેથી પરમીટ છે મેં કોઈ પરમીટ માંગી નથી. રોગચાળને નાથવામાં નિષ્ફળ તંત્ર ખોટી રીતે મુદ્દો દબાવે છે.
શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગઢ કહે છે. ઉદય કાનગડે કહ્યું કે વસરામ સાગઠિયા દારૂની પરમીટ માગી હતી. એક સાથે 6 દારૂની પરમિટ વસરામ સાગઠિયાએ મૂકી છે. અને દારૂની પરમીટ મંજૂર ન થતા વસરામ સાગઠિયા હોસ્પિટલોમાં હોબાળો કરી રહ્યાં છે.
શુ કહે છે વશરામ સાગઠિયા
આ મામલે વશરામ સાગઠિયાએ જવાબ આપતા કહ્યું કે ભાજપ નેતાઓ ખોટા આરોપ લગાવે છે. સાગઠિયાએ ઉદય કાનગડને પડકાર ફેકતા કહ્યું કે દારૂની પરમીટ કર્યાનું કાનગડ સાબિત કરે. વશરામ સાગઠિયાએ એ દારૂની પરમિટ મળી ગયાનું ખુદ સ્વીકાર કર્યો છે. તેઓએ કહ્યું કે મે દારૂની પરમીટ કાયદેસર લીધી છે મારી પાસે દારૂની પરમીટ છે. મનપા રોગચાળાના મુદ્દાને ભટકાવાવ માટે આવા આક્ષેપો કરે છે.
વિપક્ષી નેતા મોકલશે નોટીસ
વશરામ સાગઠિયાએ કહ્યું કે મારા પર લગાવેલા આરોપોને લઇ ઉદય કાનગડને નોટિસ ફટકારીશ. દારૂની પરમિટ સાબિત કરે તો હું રાજકારણ છોડી દઇશ. મારી પાસે તો દારૂની પરમીટ છે.
ઉઠી રહ્યા છે પ્રશ્નો
વસરામ સાગઠિયા પરલાગેલા આરોપોને પગલે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, વશરામ સાગઠિયાએ કોના માટે દારૂની પરમીટ માંગી હશે. વળી વશરામ સાગઠિયાએ પોતે સ્વીકાર પણ કર્યો છે કે મને તો દારૂની પરમીટ મળી ગઈ છે તો હવે હું શું કામ સ્ટન્ટ કરુ?