ચેન્નઇઃ તમિલનાડુના આર.કે.નગરની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયુ છે. આજે આ વિસ્તારમાં 2 લાખથી વધુ લોકો મતદાન કરશે. આ ચૂંટણીમાં 59 ઉમેદવારો છે. મહત્વનુ છે કે પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાની મોત બાદ આ બેઠક ખાલી હતી.
જેના ભાગરૂપે આજે મતદાન યોજવામાં આવ્યું. આ મતદાન બાદ 24 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. આ બેઠક માટે પ્રમુખ ઉમેદવાર આઈએડીએમના ઈ.મધુસુધન ડીએમકેના એન.મારુધુ ગણેશ અપક્ષ ઉમેદવાર દિનાકરણ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નાગારાજન વચ્ચે ચૂંટણી યોજાઈ છે.
આ દરમિયાન સુરક્ષા માટે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં સેમિકન્ડકરટની 15 કંપનીઓ અને 2500થી વધુ સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત CCTV કેમેરા ફલાઈંગ સ્કેવૈડ દ્વારા પણ ગોઠવી દેવામાં આવી છે.