કોંગ્રેસની આજે થનારી બેઠક પહેલાં જ રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને અપીલ કરી કે તેઓ રાજનીતિક ઉત્તરાધિકારીના વિશે નિર્ણય લેતા પુત્ર પ્રેમ ત્યાગી દે. આ સાથે રાહુલ ગાંધી વિશે પણ કહ્યું કે લોકોને તો છોડો પાર્ટીના લોકોને પણ ઉત્સાહિત કરવાની ક્ષમતા રાહુલ ગાંધીમાં નથી.
RJD નેતા શિવાનંદ તિવારીનુ નિવેદન
સોનિયા ગાંધીને તિવારીએ કરી ખાસ અપીલ
રાહુલ ગાંધીને પણ બનાવ્યા નિશાન
કોઈ ખેવનહાર નહીં
રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની બેઠક થવા જઈ રહી છે. ખબર નહીં તેનુ પરિણામ શું આવશે, પણ એ સ્પષ્ટ છે કે તેનો કોઈ ખેવનહાર નથી. એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે રાહુલ ગાંધીમાં લોકોને ઉત્સાહિત કરવાની ક્ષમતા નથી. જનતાની વાત છોડો, તેમની પાર્ટીના લોકોને પણ તેમની પર ભરોસો નથી. આ માટે લોકો કોંગ્રેસ પાર્ટીથી મોઢું ફેરવી રહ્યા છે.
સોનિયા ગાંધી ખેંચી રહી છે પાર્ટી
શિવાનંદે કહ્યું કે ખરાબ સ્વાસ્થ્યની સાથે સોનિયાજી અધ્યક્ષના રૂપમાં કોઈ પણ રીતે પાર્ટીને ખેંચી રહી છે. હું તેમનું સન્માન કરું છું. મને યાદ છે કે સીતારામ કેસરીના જમાનામાં પાર્ટી કઈ રીતે ડૂબી હતી. એવી સ્થિતિમાં તેઓએ કોંગ્રસની કમાન સંભાળી હતી. પાર્ટીને સત્તામાં લાવી હતી. ભાજપની વાત છોડો, કોંગ્રેસ પાર્ટીમાં પણ તેમના નેતૃત્વને લઈને ગંભીર શંકા વ્યક્ત કરાઈ રહી છે.
શિવાનંદ તિવારીએ વધુમાં એમ પણ કહ્યું કે સોનિયાજીની સામે યક્ષ પ્રશ્ન છે પાર્ટી કે પુત્ર. અથવા એમ કહો કે પુત્ર કે લોકતંત્ર. કોંગ્રેસ પાર્ટીની મહત્વની બેઠક થવાની છે. હું નથી જાણતો કે મારી વાત તેમના સુધી પહોંચશે કે કેમ પણ દેશનની સમક્ષ જે રીતે સંકટ મને દેખાઈ રહ્યું છે તેનાથી હું મારી વાત કહેવા મજબૂર છું.